બિપોરજોય લેન્ડફોલના રુદ્ર સ્વરૂપ વચ્ચે મુન્દ્રામાં બાળકીનો થયો જન્મ, ડિલીવરી દરમિયાન મેડિકલ કર્મીઓની સરાહનીય કામગીરી


  • Published By :
  • Published Date : 2023-06-16 17:29:23

જન્મ અને મરણ આપણાં હાથમાં નથી હોતું. કોઈ વખત સાજો દેખાતો વ્યક્તિ પણ મોતનો કોળિયો બની જતો હોય છે તો કોઈ વખત વિષમ પરિસ્થિતિમાં પણ બાળકોનો જન્મ જતો હોય છે. આપત્તિના સમયે પણ મેડિકલ ટીમની સરાહનીય કામગીરી જોવા મળી હતી. મુન્દ્રા સીએચસી ખાતે આવેલા સફળતા પૂર્વક મહિલાની પ્રસૂતિ કરાવી હતી. બાળકીનો જન્મ થયો ત્યારે આ પ્રસૂતિ દરમિયાન જનરેટરમાં શોર્ટ સર્કિટ થઈ ગયું હતું છતાં પણ ડોક્ટર્સ અને મેડિકલની ટીમે આ પ્રસૂતાનુ ઓપરેશન કરી સફળ ડિલિવરી કરાવી હતી. મળતી માહિતી અનુસાર અત્યારે માતા અને બાળકો બંને સુરક્ષિત છે.    


વિષમ પરિસ્થિતિ વચ્ચે થયો બાળકીનો જન્મ!

બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતમાં તારાજી સર્જાઈ છે. દરિયાકિનારે વાવાઝોડાએ તબાહી મચાવી છે. વાવાઝોડાની ગંભીરતાને જોતા અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વાવાઝોડા દરમિયાન NDRFની તેમજ SDRFની ટીમ દ્વારા તો સરાહનીય કામગીરી કરવામાં આવી હતી પરંતુ તેમની સાથે સાથે આરોગ્ય વિભાગની કામગીરી પણ સરાહનીય હતી. સગર્ભા સ્ત્રીઓને અગવડ ન પડે તે માટે પણ ઉચિત વ્યવસ્થા કરવામાં આવી હતી. બિપોરજોય વાવાઝોડું જ્યારે લેન્ડફોલ કરી રહ્યું હતું ત્યારે મુન્દ્રામાં એક બાળકીનો જન્મ થયો હતો. મુન્દ્રા સીએચસી ખાતે આવેલી એક પ્રસૂતાનું સિઝેરિયન કરીને સફળતાપૂર્વક બાળકીનો જન્મ કરાવવામાં આવ્યો હતો. જે મહિલાની સફળતાપૂર્વક ડિલિવરી કરવામાં આવી તેનું નામ ગીતાબેન ડુંગરિયા હતું. 


લાઈટો બંધ થતાં બેટરીના સહારે કરી સફળ ડિલીવરી!

એક તરફ તેજગતિથી પવન ફૂંકાતો હતો તો બીજી તરફ ભારે વરસાદ વરસી રહ્યો હતો. તે સમયે મુન્દ્રા તાલુકાના લુણી ગામની ગીતાબહેનને અચાનક પ્રસુતિપીડા ઉપડી હતી. ચાલુ ઓપરેશન દરમિયાન જનરેટરમાં શોટ સર્કિટ થયું હતું અને લાઈટો બંધ થઈ ગઈ હતી. બેટરીના સહારે આગળનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અત્યંત કપરી પરિસ્થિતિમાં મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ  સફળ ઓપરેશનમાં ડો. ભાર્ગવ ગઢવી, ડો. કૈલાશગીરી ગોસ્વામી, ડો. કૃપાલ અગ્રાવત તથા સીએચસીની ટીમે ફરજ બજાવી હતી. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.