અંબાણી પરિવારમાં નાના મહેમાનનું થયું આગમન, મોટી વહુ શ્લોકાએ દીકરીને જન્મ આપ્યો


  • Published By :
  • Published Date : 2023-05-31 19:43:11

અંબાણી પરિવારમાં ફરી એક વખત બાળકની કિકિયારી સાંભળવા મળી છે. અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા અંબાણીએ દીકરીને જન્મ આપ્યો છે. દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી મોટા પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધૂ શ્લોકા અંબાણી બીજી વખત માતા-પિતા બન્યા છે. આ વખતે તેમના ઘરે એક દિકરી જન્મી છે. બંનેને એક પુત્ર પૃથ્વી આકાશ અંબાણી છે જે માત્ર બે વર્ષનો છે. બાળકીના આગમનથી સમગ્ર અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છે.


મુકેશ અને નીતા અંબાણી ફરી એકવાર દાદા-દાદી બન્યા


મુકેશ અંબાણીના વિશાળ નિવાસસ્થાન એન્ટેલિયામાં ખુશીઓની લહેર વ્યાપી ગઈ  છે. નીતા અંબાણી અને મુકેશ અંબાણી ફરી એકવાર દાદા-દાદી બની ગયા છે. હાલમાં જ સમાચાર સામે આવ્યા છે કે મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકાએ પુત્રીને જન્મ આપ્યો છે. તે બીજી વખત માતા બની છે. શ્લોકા મહેતાએ 31 મેના રોજ પુત્રીને જન્મ આપ્યો છે.  


આકાશ અને શ્લોકા વર્ષ 2020માં પ્રથમ વખત માતા-પિતા બન્યા હતા 


આકાશ અને શ્લોકા વર્ષ 2020માં પ્રથમ વખત પુત્ર પૃથ્વીના માતા-પિતા બન્યા હતા. 2020માં 10 ડિસેમ્બરે મુકેશ અંબાણીના ઘરે પૌત્રનો જન્મ થયો હતો. પૌત્રના જન્મ પછી તરત જ મુકેશ અંબાણીએ એક તસવીર શેર કરી હતી. આ વખતે પણ કંઈક આવું જ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો સમાચાર પર વિશ્વાસ કરવામાં આવે તો અંબાણી પરિવાર ટૂંક સમયમાં તેની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી શકે છે.


શ્લોકાની બીજી પ્રેગ્નન્સીનો અણસાર આવી ગયો હતો


અત્રે ઉલ્લેખનિય છે કે શ્લોકાની બીજી પ્રેગ્નન્સીના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે અંબાણી પરિવારે કલ્ચરલ સેન્ટરની ઓપનિંગ પાર્ટીનું આયોજન કર્યું હતું. જ્યાં શ્લોકા મહેતા સુંદર સાડીમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરી રહી છે. બંને કલ્ચરલ સેન્ટરની ઓપનિંગ પાર્ટીમાં મીડિયાની સામે પોઝ આપતા જોવા મળ્યા હતા. જ્યાં શ્લોકા મહેતાએ સુંદર સાડીમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર અભિનંદનનો વરસાદ શરૂ થયો.


9 માર્ચ 2019ના રોજ થયા હતા લગ્ન 


આકાશ અને શ્લોકા મહેતાના લગ્ન 9 માર્ચ 2019ના રોજ ધામધૂમથી થયા હતા. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નમાં બોલિવૂડથી લઈને દેશ અને દુનિયાની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.