સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ બાબા રામદેવનો ખુલાસો, 'અમારી વિરૂધ્ધ ષડયંત્ર થઈ રહ્યું છે'


  • Published By :
  • Published Date : 2023-11-22 18:08:34

સુપ્રીમ કોર્ટે યોગ ગુરૂ બાબા રામદેવને ફટકાર લગાવ્યા બાદ આજે તેમણે હરિદ્વારમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી ખુલાસા કર્યા હતા. સુપ્રીમ કોર્ટે પતંજલિને ચેતવણી આપી હતી કે જો તમે એલોપથી દવાઓ અંગે ખોટો અને ભ્રામક પ્રચાર કરશો તો તમને એક કરોડનો દંડ ફટકારવામાં આવશે. આ સમગ્ર મામલે બાબા રામદેવે કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટનું  સન્માન કરીએ છીએ પરંતું અમે કોઈ ખોટો પ્રચાર કરતા નથી.


મેડિકલ માફિયાનો દુષ્પ્રચાર 


બાબા રામદેવએ કહ્યું કે 'મેડિકલ માફિયાઓ અમારી પાછળ પડ્યા છે, છેલ્લા પાંચ વર્ષથી તેઓ પ્રોપેગેંડા ચલાવી રહ્યા છે. તેઓ અમને સતત નિશાન બનાવી રહ્યા છે. અમે કોઈ ખોટો પ્રચાર કરતા નથી, ડોક્ટરોનો એક સમુહ સતત યોગ, આયુર્વેદ વિરૂધ્ધ પ્રચાર કરી રહ્યો છે. અમે ખોટા હોઈએ તો અમારા પર એક હજાર કરોડનો દંડ લગાવવામા આવે અને અમે મૃત્યુદંડ માટે પણ તૈયાર છીએ. ખરેખર તો સુપ્રીમ કોર્ટ તે લોકો દંડ ફટકારે જે ખોટો પ્રચાર કરી રહ્યા છે.'


શું છે સમગ્ર મામલો?


 ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)એ સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરીને બાબા રામદેવની કંપની પતંજલી આયુર્વેદની તમામ ખોટી અને ભ્રામક જાહેરાતોને રોકવાની માગ કરી હતી. IMAનો આરોપ હતો કે બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ તેની જાહેરાતો દ્વારા એલોપેથિક દવાઓ અને આધુનિક ચિકિત્સા પ્રણાલીઓ અંગે ખોટો અને ભ્રામક પ્રચાર કરે છે. આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે બાબા રામદેવની કંપનીને  તમામ ખોટી અને ભ્રામક જાહેરાતોનો રોકવા માટે આદેશ કર્યો હતો. બેન્ચે તેમ પણ કહ્યું કે જો આ જાહેરાતોનું પ્રસારણ ચાલુ રહેશે તો તેમના પર એક કરોડનો દંડ લગાવવામાં આવશે. 



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.