સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ બાબા રામદેવનો ખુલાસો, 'અમારી વિરૂધ્ધ ષડયંત્ર થઈ રહ્યું છે'


  • Published By :
  • Published Date : 2023-11-22 18:08:34

સુપ્રીમ કોર્ટે યોગ ગુરૂ બાબા રામદેવને ફટકાર લગાવ્યા બાદ આજે તેમણે હરિદ્વારમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી ખુલાસા કર્યા હતા. સુપ્રીમ કોર્ટે પતંજલિને ચેતવણી આપી હતી કે જો તમે એલોપથી દવાઓ અંગે ખોટો અને ભ્રામક પ્રચાર કરશો તો તમને એક કરોડનો દંડ ફટકારવામાં આવશે. આ સમગ્ર મામલે બાબા રામદેવે કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટનું  સન્માન કરીએ છીએ પરંતું અમે કોઈ ખોટો પ્રચાર કરતા નથી.


મેડિકલ માફિયાનો દુષ્પ્રચાર 


બાબા રામદેવએ કહ્યું કે 'મેડિકલ માફિયાઓ અમારી પાછળ પડ્યા છે, છેલ્લા પાંચ વર્ષથી તેઓ પ્રોપેગેંડા ચલાવી રહ્યા છે. તેઓ અમને સતત નિશાન બનાવી રહ્યા છે. અમે કોઈ ખોટો પ્રચાર કરતા નથી, ડોક્ટરોનો એક સમુહ સતત યોગ, આયુર્વેદ વિરૂધ્ધ પ્રચાર કરી રહ્યો છે. અમે ખોટા હોઈએ તો અમારા પર એક હજાર કરોડનો દંડ લગાવવામા આવે અને અમે મૃત્યુદંડ માટે પણ તૈયાર છીએ. ખરેખર તો સુપ્રીમ કોર્ટ તે લોકો દંડ ફટકારે જે ખોટો પ્રચાર કરી રહ્યા છે.'


શું છે સમગ્ર મામલો?


 ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)એ સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરીને બાબા રામદેવની કંપની પતંજલી આયુર્વેદની તમામ ખોટી અને ભ્રામક જાહેરાતોને રોકવાની માગ કરી હતી. IMAનો આરોપ હતો કે બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ તેની જાહેરાતો દ્વારા એલોપેથિક દવાઓ અને આધુનિક ચિકિત્સા પ્રણાલીઓ અંગે ખોટો અને ભ્રામક પ્રચાર કરે છે. આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે બાબા રામદેવની કંપનીને  તમામ ખોટી અને ભ્રામક જાહેરાતોનો રોકવા માટે આદેશ કર્યો હતો. બેન્ચે તેમ પણ કહ્યું કે જો આ જાહેરાતોનું પ્રસારણ ચાલુ રહેશે તો તેમના પર એક કરોડનો દંડ લગાવવામાં આવશે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.