ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મને લઈ બાબા રામદેવે આપ્યું વિવાદીત નિવેદન, કહ્યું નમાઝ પઢો પછી જે મનમાં આવે તે કરો


  • Published By :
  • Published Date : 2023-02-03 08:54:48

પોતાના નિવેદનને લઈ યોગ ગુરુ બાબા રામદેવ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે.  ગુરુવારે આયોજીત એક કાર્યક્રમમાં તેમણે ઈસલામ અને ઈસાઈ ધર્મ પર વિવાદીત ટિપ્પણી કરતી હતી. બાડમેરમાં એક મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા પહોંચેલા બાબાએ કહ્યું કે ઈસ્લામમાં 5 વખતની નમાઝ પઢ્યા બાદ કંઈ પણ કરી શકાય. ઈસ્લામનો અર્થ ફક્ત નમાઢ પઢ્યા બાદ કંઈ પણ કરી શકાય. તે સિવાય ખ્રિસ્તી ધર્મને લઈને પણ આકરા પ્રહાર કર્યા હતા.    


પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન આપ્યું વિવાદીત નિવેદન     

થોડા સમય પહેલા બાગેશ્વર ધામ પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈ તેઓ ચર્ચામાં હતા ત્યારે ફરી એક વખત મુસલમાનો તેમજ ઈસાઈ ધર્મને લઈ આપેલા નિવેદનને લઈ તેઓ સુર્ખિયોમાં આવી ગયા છે. બાડમેર જિલ્લાના પનોણિયોના તલામાં આયોજીત ધર્મપૂરી મહારાજ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી જ્યાં તેમણે એક વિવાદીત નિવેદન આપ્યું હતું. 


ઈસ્લામ ધર્મનો અર્થ ફક્ત નમાઝ પઢ્વાનો - બાબા રામદેવ 

ઈસ્લામ અને મુસલમાનોને લઈ નિવેદન આપતા કહ્યું કે ઈસ્લામમાં 5 ટાઈમ નમાઝ પઢ્યા બાદ કંઈ પણ કરી શકાય છે. તેમણે કહ્યું ઈસ્લામ ધર્મનો અર્થ ફક્ત નમાઝ પઢવાનો છે. નમાજ પઢ્યા બાદ જે મને ફાવે તે કરો, બધુ જ યોગ્ય છે. પછી તે હિંદુઓની છોકરીઓને ઉઠાવો અને જેહાદના નામ પર આતંકવાદી બનીને જે મનમાં આવે તે કરો. 


મીણબત્તી સળગાવો, બધા પાપ ધોવાઈ જશે - બાબા રામદેવ 

તે સિવાય ખ્રિસ્તી ધર્મ પર પણ બાબાએ ટિપ્પણી કરી હતી જેમાં તેમણે કહ્યું કે હાલના દિવસોમાં ચર્ચમાં જઈને મીણબત્તી સળગાવો, બધા પાપ ધોવાઈ જશે. પણ હિંદુઓના ધર્મમાં આવું કંઈ નથી થતું. કુરાન અથવા બાઈબલમાં આવું લખ્યું નથી. પણ આવી વાતો કહેવામાં આવે છે. વધુમાં તેમણે કહ્યું કે જન્નતમાં દારૂ મળશે તો આવી જન્નત નરકથી પણ બેકાર છે. તમામ જમાતને ઈસ્લામમાં બદલાવાના છે, લોકો આ જ ચક્કરમાં પડ્યા છે. 


ભગવાને માત્ર મનુષ્ય જાતી બનાવી છે - બાબા રામદેવ 

નિવેદન આપ્યા બાદ પોતાના નિવેદન પર તેમણે સ્પષ્ટતા પણ આપી. જેમાં તેમણે કહ્યું કે હું કોઈની ટિકા નથી કરતો, પણ લોકો આ ચક્કરમાં પડ્યા છે. કોઈ કહે છે કે આખી દુનિયા ઈસ્લામમાં વાપસી કરશે તો કોઈ કહે છે કે આખી દુનિયા ઈસાઈયતમાં વાપસી કરશે. જે કે વાપસી કરવાનો એજન્ડા તેમની પાસે નથી , પણ હિંદુ ધર્મ સનાતન ધર્મ આવો નથી. તેમણે કહ્યું કે સનાતન ધર્મમાં ઉંઘવાથી લઈને રહેવા સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. યોગ. ધ્યાન અને સેવા કરો. ભગવાને માત્ર મનુષ્ય જાતી બનાવી છે બાકી જાતીઓ આપણે બનાવી છે. હિંદુ ધર્મને અનેક જાતિઓમાં વહેંચવામાં આવી છે. 

 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!