બાબા સમાજ સુધારણાના તથા વ્યસન મુક્તિ માટે કામ કરી રહ્યા છે. મારું તેમને સમર્થન છે: સાંસદ મનસુખ વસાવા


  • Published By :
  • Published Date : 2023-05-21 11:30:45

 મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના બાબા બાગેશ્વર  તરીકે પ્રખ્યાત ધિરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવવાના છે. રાજ્યમાં અમદાવાદ, રાજકોટમાં બાબા બાગેશ્વર ત્રણ દિવ્ય દરબાર પણ યોજાવાના છે. બાબા બાગેશ્વરને સમાજના વિવિધ વર્ગના લોકોનું તથા રાજકારણીઓનું પણ સમર્થન મળી રહ્યું છે. છેલ્લા બે ત્રણ દિવસથી બાબા બાગેશ્વરના ગુજરાત આગમનના પગલે રાજનીતિ ગરમાઈ છે. ભાજપના નેતાઓ બાબાના પ્રવાસને લઈ સૌથી વધુ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ બાબા બાગેશ્વરને તેમનું સમર્થન જાહેર કર્યું છે.  


મનસુખ વસાવાએ બાબાને આપ્યું સમર્થન


ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને સમર્થન આપતું એક મહત્વનું નિવેદન કર્યું છે.નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળાના ટાઉનહોલ ખાતે નર્મદા જિલ્લા ભાજપ કારોબારી યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને છોટા ઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ બાદ સાંસદ મનસુખ વસાવા એ મીડિયા સામે હાલ ચાલી રહેલા બાબા બાગેશ્વર ના વિવાદને લઈ બાબા બાગેશ્વરને સમર્થન વ્યક્ત કર્યું હતું. આ કાર્યક્રમ બાદ સાંસદ મનસુખ વસાવાએ ખુલીને બાબા બાગેશ્વરની પ્રશંસા કરી હતી. રામ રાજ્યની બાબાની વાતને પણ તેમણે સમર્થન આપ્યું હતું.  


સાંસદ મનસુખ વસાવાએ શું કહ્યું?


બાબા બાગેશ્વરના કાર્યોના વખાણ કરતા સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે ભાજપએ રાષ્ટ્રવાદી વિચારધારા વાળી પાર્ટી છે. બાબા સમાજ સુધારણા સારું કામ કરે છે. રામરાજ્યમાં હિંદુ જ નહીં તમામ ધર્મના લોકો એકસાથે રહે તેવી વાત છે. રામ રાજ્ય દેશની સુખાકારી માટે જરૂર છે. આગામી 2024ની લોકસભાની ચૂંટણીમાં હિંદુ કાર્ડ નહીં પણ વડાપ્રધાન મોદીના અસરકારક કામોના આધારે લડવાના છીએ તે વાત પણ સાંસદે કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશ માટે જે કામો કર્યા છે તેના પર જ ભાજપ ચૂંટણી જીતવાની છે .જોકે આવા બાગેશ્વર બાબા જેવા અનેક આધ્યાત્મિક પુરુષોના આશીર્વાદ મળી રહે અને એવા લોકોની પણ આજે જરૂર છે. અને આવા આધ્યાત્મિક પુરુષોના માર્ગદર્શનથી વિશ્વમાં ઘણી સરકાર ચાલે છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.