બાબા બાગેશ્વર મામલે કરણી સેનાએ ઝંપલાવ્યું, 'હિંદુ દીકરાનો કે સાધુ સંતનો વિરોધ કરશો તો જોયા જેવી થશે'


  • Published By :
  • Published Date : 2023-05-17 21:20:20

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટ ખાતે બે દિવસ માટે દિવ્ય દરબાર યોજાવાનો છે. રાજકોટમાં આગામી 1 અને 2 જૂનના રોજ દિવ્ય દરબાર યોજાશે. બાબા બાગેશ્વરના દિવ્ય દરબારની જાહેરાત શરૂ થતા જ નવો વિવાદ પણ શરૂ થયો છે. જો કે હવે કરણી સેના બાબા બાગેશ્વરના સમર્થનમાં આવી છે. બાબા બાગેશ્વરની દિવ્ય દરબારને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કરણી સેનાએ વિરોધીઓને ચિમકી આપી છે.


શું કહ્યું કરણી સેનાના સૌરાષ્ટ્રના પ્રમુખે?


રાજકોટમાં યોજાનારા બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર કરણી સેનાએ ખુલ્લેઆમ બચાવ કર્યો છે, અને તેમની સુરક્ષામાં ખડે પગે રહેવાની રણનીતિ તૈયાર કરી છે. કરણી સેનાના સૌરાષ્ટ્રના પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજાએ નિવેદન આપ્યુ છે, તેમણે કહ્યું કે "જો કોઈ હિન્દુના દીકરાનો કે સાધુ સંતનો વિરોધ કરશે તો જોયા જેવી થશે, આગામી 1લી અને 2જી જૂનના રોજ બાબા બાગેશ્વર રાજકોટ આવશે ત્યારે કરણી સેના ખડે પગે રહેશે. કરણી સેનાએ કહ્યું - અમે પણ સનાતન ધર્મમાં માનીએ છીએ, અને જો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરવામાં આવશે તો જોયા જેવી થશે".


કૃષ્ણરાજસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 150 જેટલા કરણી સૈનિકો દ્વારા બાબાના દરબારનું રક્ષણ કરવામાં આવશે. તેમજ કાર્યક્રમમાં વિરોધ કરનારાઓને યોગ્ય જવાબ પણ કરણી સેના દ્વારા આપવામાં આવશે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.