બાબા બાગેશ્વરનું આજે થશે ગુજરાતમાં આગમન, આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજીમાં ત્રણ દિવસ સુધી હનુમાન કથાનું કરાવશે રસપાન


  • Published By :
  • Published Date : 2023-10-15 12:00:59

બાબા બાગેશ્વર ધામના બાગેશ્વર ધામના પીઠાધિશ્વર આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીનું આજે ગુજરાતમાં આગમન થશે. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં નવરાત્રીના પ્રારંભે આવવાના છે. જેને લઈને અંબાજીમાં તેમના આગમનની તડામાર તૈયારીઓ પુરી થઈ ગઈ છે. નવરાત્રીના શરૂઆતે તારીખ 15, 16 અને 17 તારીખે 3 દિવસ બાબા બાગેશ્વર અંબાજીમાં રહેશે. આજથી ત્રણ દિવસ બાબા બાગેશ્વર ગુજરાતમાં છે. અંબાજીમાં બાબા બાગેશ્વરની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર અને હનુમાન કથા યોજાશે.


અંબાજીમાં તૈયાર કરાયો ડોમ


અંબાજી ખાતે ત્રણ દિવસ બાબા બાગેશ્વરના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ કરવામા આવી હતી. હવે આ તૈયારીઓને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે. તો બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર અને હનુમાન કથા માટે અંબાજીના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમ પણ બનાવવામા આવ્યો છે. આજે નવરાત્રીના પ્રથમ દિવસે 15 તારીખે દીપ પ્રાગટ્ય અને હનુમાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનું આયોજન ઇસ્કોન ગ્રુપમાં ચેરમેન પ્રવીણભાઈ કોટક દ્વારા કરવામાં આવ્યું છે. આ કથા સાંજ ના 4 વાગ્યાથી પ્રારંભ થશે. 


આ મહાનુભાવો રહેશે ઉપસ્થિત


આ ત્રિ-દિવસીય હનુમાન કથામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ સહીત ગુજરાતના અનેક નેતાઓ સાથે સાધુ અન્ય મહાનુભાવો તેમજ અભિનેતાઓને આ કથા માટે આમંત્રિત કરાયા છે. નવરાત્રીના બીજા દિવસે 16 તારીખે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાશે, જેમાં ભક્તોની સમસ્યાનું સમાધાન થશે. તો નવરાત્રીના ત્રીજા દિવસે 17 તારીખે હનુમાન કથા અને પૂર્ણાહુતી કરવામાં આવશે. આ કથાના કાર્યક્રમ દરમિયાન બેથી ત્રણ લાખ લોકો આવે તેવું આયોજન અંબાજી જીએમડીસી મેદાનમાં હાથ ધરાયુ છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.