બાબા બાગેશ્વરે ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી'નું કર્યું સમર્થન, હિંદુ બહેનોને આપી આ સલાહ


  • Published By :
  • Published Date : 2023-05-21 17:25:52

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પટણાથી મધ્યપ્રદેશ પરત આવી ગયા છે. અહીં આવતા જ તેમનું એક નિવેદન ફરી ચર્ચામાં આવ્યું છે. બાબા બાગેશ્વરે મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં આયોજીત એક કાર્યક્રમમાં ફિલ્મ ધ કેરાલા સ્ટોરીનું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. તેમણે ફિલ્મને સત્ય ઘટના પર આધારીત જણાવી અને કહ્યું કે આ દેશની વર્તમાન સ્થિતી છે. અત્રે ઉલ્લેખનિય છે કે બાબા બાગેશ્વર આ મહિનાના અંતમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે. 


ફિલ્મ ધ કેરાલા સ્ટોરી અંગે શું કહ્યું? 

 

ધીરેન્દ્ર શાસ્ત્રીએ બૉલિવૂડ ફિલ્મ " ધ કેરાલા સ્ટોરી"ને લઈને મોટું નિવેદન આપ્યું છે.' ધ કેરાલા સ્ટોરી' પર બાબા બાગેશ્વરે જણાવ્યું કે, આ એક સત્યઘટના પર આધારિત સ્ટોરી છે. આજ દેશની વર્તમાન પરિસ્થિતિ છે અને આપણે હિંદુઓ સૂઈ રહ્યાં છીએ. લોકો સમજી નથી રહ્યા અને મને કહે છે કે, તમે ઉશ્કેરણીજનક નિવેદનો આપો છો. મારી વાતો ભડકાઉ નથી, પરંતુ હિન્દુઓને જગાડવા માટે છે. જે થયું છે, તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. તમામ હિન્દુઓનું આ દુર્ભાગ્ય છે કે, જ્યાં સુધી ભારતના દરેક મંદિરમાં હિન્દુઓને શિક્ષણ નહીં આપીએ કે, સનાતન ધર્મ શું છે, હિન્દુ શું છે? ત્યાં સુધી આવી ઘટનાઓ થતી રહેશે. આ ફિલ્મથી સમજી જવું જોઈએ કે, આપણે જાગવુ પડશે. ખાસ કરીને આપણી બહેનોએ તો સમજી જવું જોઈએ. બાબાએ વધુમાં જણાવ્યું કે, ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એ જ જ્ઞાન આપે છે કે, બીજા ધર્મનો વિચાર કરવા કરતાં સ્વધર્મમાં મરવું સારૂં છે. આથી બીજા ધર્મના વ્યક્તિ પર એટલો જ ભરોસો કરવો જોઈએ, જેટલો દરિયામાં નાંખેલા સિક્કા પર આપણે કરીએ છીએ.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.