નશાયુક્ત સીરપ: ખેડા અને અમરેલીમાં બનેલી ઘટનામાં ભાજપ નેતાઓની સંડોવણી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-30 22:49:20

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં બિલોદરા ગામમાં અને મહુધા તાલુકાના બગડુ ગામમાં નશાયુક્ત સીરપ પીવાથી 5 લોકોના મોત થયા છે. આ સમગ્ર ઘટના બાદ પોલીસે નશાયુક્ત સીરપનો જથ્થો જપ્ત કરવા અને  તેનું વેચાણ કરનારા લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે. નડિયાદ તાલુકામાં બનેલી ઘટના હવે અમરેલી જિલ્લાના બાબરામાંથી નશાયુક્ત સીરપનો મોટો જથ્થો ઝડપાયો છે. ખેડા અને અમરેલી આ બંને ઘટનામાં ભાજપ નેતાઓની સંડોવણી સામે આવી છે. 


બાબરા નગરપાલિકાના મહિલા સભ્યના પતિ ઝડપાયા


અમરેલી જિલ્લાના બાબરામાં બાબરા નગરપાલિકાના મહિલા સભ્યના પતિ મૂળશંકર તેરૈયાના ઘર, દુકાન અને ગોડાઉનેથી નશાયુક્ત સીરપની 75 પેટી પોલીસે ઝડપી પાડી છે, જેમાં અંદાજે 3  હજાર જેટલી શંકાસ્પદ સીરપની બોટલો છે અને તેની કિંમત 4 લાખ રૂપિયા થાય છે. પોલીસે આ તમામ જથ્થાને FSLમાં પરીક્ષણ માટે મોકલી દીધો છે. ઉલ્લેખનીય છે કે બાબરામાં આ અગાઉ પણ આ મૂળશંકર તેરૈયા પાસેથી સીરપનો 60 લાખનો જથ્થો ઝડપાયો હતો.


કિશોર સોઢા ઉર્ફે કિશન ભાજપનો નેતા


ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં બિલોદરા ગામમાં અને મહુધા તાલુકાના બગડુ ગામમાં નશાયુક્ત સીરપ પીવાથી 5 લોકોના મોત થયા છે. આ સમગ્ર કેસની તપાસમાં લાગેલી પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી છે, જેમાં એક ભાજપ નેતાનો પણ સમાવેશ થાય છે. ખેડા LCBએ આ સમગ્ર મામલે બિલોદરાના વેપારી કિશોર સોઢા, કિશોરનો ભાઈ અને નડિયાદના યોગેશ સિંધીની અટકાયત કરી છે. કિશોર સોઢા ઉર્ફે કિશન ભાજપનો નેતા છે, તે નડિયાદ તાલુકા કોષાધ્યક્ષનો હોદ્દો ધરાવે છે.  કિશન સોઢા કિરાણા સ્ટોર ધરાવે છે અને તેની દુકાનમાંથી જ આ નશાયુક્ત મેઘાસવ નામનું સીરપ વેંચતો હતો. આ સીરપ પીવાથી પાંચ લોકોના મોત થયા છે, જેમાં એક કિશન સોઢાના પિતા પણ મૃત્યુ  પામ્યા છે. નશાયુક્ત સીરપ અમદાવાદથી મંગાવવામાં આવ્યું હતું. જે ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે તેમાં આ સીરપ સપ્લાય કરનાર એક વચેટિયાનો પણ સમાવેશ થાય છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.