અયોધ્યામાં આ તારીખે રામલલ્લાની મંદિરના ગર્ભગૃહમાં થશે પ્રાણ-પ્રતિષ્ઠા, મંદિર ટ્રસ્ટના મહાસચિવે કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-04-28 16:12:35

ભારત જ નહીં પણ દુનિયાભરના રામ ભક્તો અરોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની  આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે હવે આજે શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે તારીખની જાહેરાત કરી દીધી છે. ચંપત રાયે જણાવ્યું કે 22 જાન્યુઆરીના દિવસે રામલલ્લાને મંદિરના ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત કરવામાં આવશે. 


લાંબી ચર્ચા-વિચારણા અંતે તારીખ જાહેર


શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે રામલલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠા માટે અનેક તિથિઓ પર વિચાર-વિમર્સ કરવામાં આવ્યો હતો. અંતમાં 22 જાન્યુઆરી પર રામલલ્લા અંતે મોહર લગાવવામાં આવી હતી. યોગી સરકારના કેબિનેટ મંત્રી સુરેશ ખન્નાએ પણ તેને લઈને ટ્વીટ કર્યું છે.  પ્રાણ-પ્રતિષ્ઠાને ધ્યાનમાં લઈને ગર્ભગૃહનું નિર્માણ ઓક્ટોબર સુધી પુરૂ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ભગવાન શ્રી રામની પ્રતિમા તૈયાર કરવા માટે નેપાળથી ખાસ શાલિગ્રામ શિલા મંગાવવામાં આવી છે. શાલિગ્રામ શિલા કંડારવાનું કામ ઓક્ટોબર સુધી પુરૂ કરવામાં આવશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.