અયોધ્યામાં આ તારીખે રામલલ્લાની મંદિરના ગર્ભગૃહમાં થશે પ્રાણ-પ્રતિષ્ઠા, મંદિર ટ્રસ્ટના મહાસચિવે કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-04-28 16:12:35

ભારત જ નહીં પણ દુનિયાભરના રામ ભક્તો અરોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની  આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે હવે આજે શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે તારીખની જાહેરાત કરી દીધી છે. ચંપત રાયે જણાવ્યું કે 22 જાન્યુઆરીના દિવસે રામલલ્લાને મંદિરના ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત કરવામાં આવશે. 


લાંબી ચર્ચા-વિચારણા અંતે તારીખ જાહેર


શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે રામલલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠા માટે અનેક તિથિઓ પર વિચાર-વિમર્સ કરવામાં આવ્યો હતો. અંતમાં 22 જાન્યુઆરી પર રામલલ્લા અંતે મોહર લગાવવામાં આવી હતી. યોગી સરકારના કેબિનેટ મંત્રી સુરેશ ખન્નાએ પણ તેને લઈને ટ્વીટ કર્યું છે.  પ્રાણ-પ્રતિષ્ઠાને ધ્યાનમાં લઈને ગર્ભગૃહનું નિર્માણ ઓક્ટોબર સુધી પુરૂ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ભગવાન શ્રી રામની પ્રતિમા તૈયાર કરવા માટે નેપાળથી ખાસ શાલિગ્રામ શિલા મંગાવવામાં આવી છે. શાલિગ્રામ શિલા કંડારવાનું કામ ઓક્ટોબર સુધી પુરૂ કરવામાં આવશે.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.