Ayodhya - Ram Mandir Pran Pratishtha : ફૂલો અને રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું મંદિર, જુઓ પ્રાણપ્રતિષ્ઠા પહેલા શણગારાયેલા મંદિરનો વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-22 07:50:54

જે ક્ષણની 500 વર્ષ સુધી રાહ જોવાઈ તે ક્ષણ આવી ગઈ છે. રામ ભગવાનની મૂર્તિ મંદિરમાં સ્થાપિત થવાની છે. ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા આજે થવાની છે. કરોડો ભક્તોની આસ્થા ભગવાન રામ સાથે જોડાયેલી છે. ભગવાન રામના કરોડો ભક્તો છે જે આ ક્ષણની અનેક દાયકાઓથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે હિંદુ વિધિ વિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવવાની છે જેના સાક્ષી અનેક લોકો બનશે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલ્લા મંદિરમાં બિરાજમાન થશે. પ્રાણ પ્રતિષ્ઠા લઈ મંદિરને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે. પહેલા મંદિરને શણગારેલા વીડિયો સામે આવ્યો છે. ન માત્ર અયોધ્યા ભક્તિના રંગમાં રંગાયું છે પરંતુ સમગ્ર દેશ રામમય બન્યું હોય તેવું લાગી રહ્યું છે.

આખો દેશ બન્યો રામમય!

રામધુનથી અયોધ્યા ગુંજી ઉઠ્યું છે. નવનિર્મિત મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રતિષ્ઠા થવાની છે. ભક્તોએ ઘડીની રાહ જોઈ રહ્યા છે જ્યારે તેમના આરાધ્ય પોતાના મંદિરમાં સ્થાન ગ્રહણ કરશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. ભગવાન રામની મૂર્તિની તસવીર સામે આવી હતી તે બાદ શણગારવામાં આવેલા મંદિરની તસવીર વાયરલ થઈ હતી. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મંદિરનો વીડિયો સામે આવ્યો છે.  આખો દેશ રામમય બન્યો છે. આજે બપોરે 12.20 કલાકે રામ લલ્લાનો અભિષેક શરૂ થશે.

   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.