Ayodhya Ram Mandir : ભગવાન રામની મૂર્તિના કરો દર્શન, મૂર્તિ એટલી મોહક છે કે એમ થાય કે જોયા જ કરીએ..! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-22 13:07:39

જે ક્ષણની છેલ્લા અનેક દાયકાઓથી રાહ જોવાઈ રહી હતી તે ક્ષણ આજે આવી ગઈ છે. ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે. પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે ગર્ભ ગૃહમાં પીએમ મોદી, મોહન ભાગવત, આનંદી બહેન પટેલ સહિત પાંચ લોકો હાજર હતા. હજી સુધી મંદિરની તેમજ ભગવાન રામની મૂર્તિના ફોટો સામે આવ્યા હતા ત્યારે આજે ભગવાન રામની મૂર્તિનો વીડિયો સામે આવ્યો છે. ભગવાન રામને એટલી સરસ રીતે શણગારવામાં આવ્યા છે કે એવું થાય કે મૂર્તિને નિહાળતા જ રહીએ. થોડા દિવસ પહેલા મંદિરના વીડિયો, ફોટો સામે આવ્યા હતા, તે બાદ ગર્ભગૃહમાં બિરાજમાન કરાયેલી મૂર્તિની તસવીરો વાયરલ થઈ હતી. ત્યારે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ભગવાન રામની મૂર્તિનો વીડિયો સામે આવ્યો છે.   

    

મંદિરમાં બિરાજમાન થયા ભગવાન રામ!  

પ્રાણ પ્રતિષ્ઠાને લઈ છેલ્લા ઘણા દિવસોથી તૈયારીઓ ચાલી રહી હતી. અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી. રામલલ્લાની ભક્તિમાં ન માત્ર અયોધ્યા પરંતુ સમગ્ર દેશ રંગાઈ ગયું હોય તેવું લાગતું હતું. રામ ભક્તિમાં ભક્તો લીન દેખાઈ રહ્યા હતા. એવો માહોલ ઉભો થઈ ગયો હતો કે નાનું બાળક હોય કે પછી કોઈ વૃદ્ધ દરેકના મોઢા પર એક ગીત સંભળાતું હતું. બાળક કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા... આ ક્ષણની રાહ છેલ્લા ઘણા વર્ષોથી જોવાઈ રહી હતી. ભક્તોએ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા કે જ્યારે ભગવાન રામ મંદિરમાં પધારે અને ભક્તોની મૂર્તિના દર્શન કરી શકે. ત્યારે આજે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અને ભગવાન રામની મૂર્તિની ઝલક સામે આવી છે.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.