Ayodhya Ram mandir : Gujaratથી મોકલવામાં આવેલી 108 ફૂટ લાંબી અગરબત્તીને પ્રગટાવાઈ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-16 14:06:51

22 જાન્યુઆરીની ઘડીઓ ગણાઈ રહી છે. ભક્તો એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે મંદિરમાં ભગવાન રામની મૂર્તિ પ્રસ્થાપિત થશે. રામ ભક્તોએ અલગ અલગ વસ્તુઓનું દાન કર્યું છે. ભક્તોએ યથાશક્તિ દાન આપ્યું છે. અનેક ગુજરાતીઓએ રામમંદિર માટે વિવિધ વસ્તુઓ મોકલી છે. પ્રાણ પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખી ગુજરાતના વડોદરાથી 108 ફૂટ લાંબી અગરબત્તી મોકલવામાં આવી હતી જેને આજે પ્રગટાવવામાં આવી છે. તીર્થ ક્ષેત્રના અધ્યક્ષની હાજરમાં આ અગરબત્તીને પ્રગટાવવામાં આવી છે. એવું અનુમાન છે કે આ અગરબત્તી દોઢ મહિના સુધી ચાલશે તેમજ તેની સુગંધ અનેક કિલોમીટર સુધી ફેલાશે.

108 ફૂટ લાંબી અગરબત્તીને કરાઈ પ્રજવલિત 

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજથી 22 જાન્યુઆરી સુધી અનુષ્ઠાન ચાલશે તેની શરૂઆત થઈ ગઈ છે. અયોધ્યા રામ મંદિર માટે ગુજરાત સહિત દેશભરથી ભક્તોએ વિવિધ વસ્તુઓ, ભેટો આપી છે. ગુજરાતીઓએ પણ અલગ અલગ વસ્તુનું દાન કર્યું છે. વડોદરાથી 108 ફૂટ લાંબી અગરબત્તી અયોધ્યા મોકલવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ આ અગરબત્તીને વિશેષ રીતે તૈયાર કરવામાં આવી છે. સુરક્ષા વચ્ચે અયોધ્યા ખાતે આ અગરબત્તી મોકલવામાં આવી હતી. 


અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા 11 કિલોનું પાંચ ફૂટ લાંબુ પંચધાતુનું અજયબાણ બનાવવામાં આવ્યુ છે. આ અજયબાણને અંબાજી ખાતે લાવવામાં આવ્યું છે.જે અજયબાણને ગબ્બર ઉપર લઇ જવાયું હતું અને તેની પૂજા અર્ચના કરી આરતી ઉતારવામાં આવી હતી.જેને 10 જાન્યુઆરીના રોજ અયોધ્યા મોકલવામાં આવશે.

અયોધ્યા રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે વડોદરાના એક ખેડૂતે 108 ફૂટ લાંબી ધૂપસળી બનાવી છે. જેને બનાવવાનો ખર્ચે લગભગ 5 લાખ થયો છે.

ગુજરાતીઓએ અનેક વસ્તુઓનું કર્યું છે દાન!

21 જાન્યુઆરી સુધી અનુષ્ઠાન ચાલવાનું છે. આવતીકાલે રથયાત્રા નીકળશે જે બાદ 18મી તારીખે મંદિરમાં મૂર્તિને રાખવામાં આવશે વગેરે વગેરે... આજથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થતાં ગુજરાતના વડોદરાથી ગયેલી 108 ફૂટ લાંબી અગરબત્તીને પ્રજવલિત કરવામાં આવી છે. મહત્વનું છે કે ગુજરાતથી નગારું, દીવો, અગરબત્તી સહિતની વસ્તુ ભેટ સ્વરૂપે, દાન સ્વરૂપે આપવામાં આવી છે.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.