અયોધ્યા નગરી ઝળહળી ઉઠશે લાખો દિવડાઓથી, યોગીજી કરી રહ્યા છે વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાની તૈયારી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 17:44:45

દિવાળીના તહેવારનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ રહેલું છે. માન્યતા પ્રમાણે ભગવાન રામ વનવાસ સમાપ્ત કરી અયોધ્યા પાછા ફર્યા હતા. તેમનું આગમન થતા અયોધ્યાવાસીઓએ દીપ પ્રગટાવી તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારે અયોધ્યા ખાતે દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. અયોધ્યામાં ફરી એક વર્લ્ડ રેકોર્ડ બનાવા જઈ રહ્યો છે. દિવાળી સમયે 18 લાખ દિવળા પ્રજ્વલિત કરવામાં આવશે. 


18 લાખ દિવાઓથી ઝળહળશે રામનગરી અયોધ્યા 

મળતી માહિતી મુજબ રામનગરી અયોધ્યામાં 15 લાખ દિવળા પ્રગટાવવામાં આવશે જ્યારે અન્ય દિવળાઓ રામનગરીના મુખ્ય સ્થળો પર પ્રગટાવવામાં આવશે. 23 ઓક્ટોબરના રોજ દિપોત્સવ યોજાવાનો છે. પર્યટનના પ્રમુખ સચિવ મુકેશ મશ્રામે માહિતી આપતા કહ્યું કે દીપોત્સવની સાથે નવા ઘાટ પર મંત્રોચ્ચાર સાથે ભવ્ય સરયૂ આરતી, રામચરિતમાનસ પર આધારિત ડિજિટલ ઝાંખી પણ પ્રદર્શિત કરવામાં આવશે.  


યોગી સરકારે શરૂ કરી તૈયારી 

દિવાળીની તૈયારીઓને લઈ યોગી સરકાર અત્યારથી એક્શન મોડમાં આવી ગઈ છે. દિવાળીનો તહેવાર નજીક આવતા યોગી સરકાર તૈયારીઓમાં લાગી ગઈ છે. ગયા વર્ષે પણ અયોધ્યા ખાતે ભવ્ય દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. 9 લાખ દિવડાઓથી રામની નગરી પ્રકાશિત થઈ ઉઠી હતી. મુખ્યમંત્રી પોતે આ કાર્યક્રમ પર વધારે ધ્યાન આપી રહ્યા છે.     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.