Ayodhya : રામ ભગવાનના દર્શન કરવા ગયેલા બનાસકાંઠાના યુવાનનું થયું હાર્ટ એટેકને કારણે મોત! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-12 13:18:15

એક સમય હતો જ્યારે કોરોના શબ્દ કોમન બની ગયો હતો. ત્યારે હવે હાર્ટ એટેક શબ્દ સામાન્ય બની રહ્યો છે. અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં સાજા લાગતા વ્યક્તિ મોતને ભેટે છે. કોઈ વખત ડાન્સ કરતા કરતા તો કોઈ વખત ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેક આવી રહ્યો છે અને જોત જોતામાં માણસ હતો ન હતો થઈ જાય છે. એક સમય હતો જ્યારે હાર્ટ એટેકના કિસ્સાઓ મોટી ઉંમરના લોકોને આવતો હતો તેવું માનવામાં આવતું હતું પરંતુ હવે તો ઉંમર અને હાર્ટ એટેકને કોઈ લેવા-દેવા નથી. ત્યારે અયોધ્યમાં રામ ભગવાનના દર્શન માટે ગયેલા બનાસકાંઠાના એક વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થઈ ગયું છે.


બનાસકાંઠાના યુવાનનું મોત થયું અયોધ્યામાં!

અનેક યુવાનો, શાળામાં ભણતા વિદ્યાર્થીઓ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. અનેક ઘટનાઓ આપણી સામે છે જેમાં હાર્ટ એટેકને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. હાર્ટ એટેકનો ખતરો પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે એક હાર્ટ એટેકનો કિસ્સો અયોધ્યાથી સામે આવ્યો છે. અયોધ્યામાં રામ ભગવાનના દર્શન માટે ગયેલા બનાસકાંઠાના એક વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર દર્શન કર્યા બાદ તે ત્યાં જ ઢળી પડ્યા. તેમના મૃતદેહને ગુજરાત લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.


અયોધ્યા જઈ રહેલા વ્યક્તિનું થયું હાર્ટ એટેકને કારણે મોત! 

મહત્વનું છે કે આની પહેલા અયોધ્યા જઈ રહેલા વ્યક્તિનું મોત ટ્રેનમાં થઈ ગયું હતું. વડોદરામાં રહેતા વ્યક્તિ રામ ભગવાનના દર્શન કરવા માટે અયોધ્યા જઈ રહ્યા હતા. અયોધ્યા પહોંચે તે પહેલા જ ટ્રેનમાં તેમને હાર્ટ એટેક આવી ગયો અને તેમનું મોત થઈ ગયું. મહત્વનું છે કે હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.     



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.