Ayodhya : રામ ભગવાનના દર્શન કરવા ગયેલા બનાસકાંઠાના યુવાનનું થયું હાર્ટ એટેકને કારણે મોત! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-12 13:18:15

એક સમય હતો જ્યારે કોરોના શબ્દ કોમન બની ગયો હતો. ત્યારે હવે હાર્ટ એટેક શબ્દ સામાન્ય બની રહ્યો છે. અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં સાજા લાગતા વ્યક્તિ મોતને ભેટે છે. કોઈ વખત ડાન્સ કરતા કરતા તો કોઈ વખત ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેક આવી રહ્યો છે અને જોત જોતામાં માણસ હતો ન હતો થઈ જાય છે. એક સમય હતો જ્યારે હાર્ટ એટેકના કિસ્સાઓ મોટી ઉંમરના લોકોને આવતો હતો તેવું માનવામાં આવતું હતું પરંતુ હવે તો ઉંમર અને હાર્ટ એટેકને કોઈ લેવા-દેવા નથી. ત્યારે અયોધ્યમાં રામ ભગવાનના દર્શન માટે ગયેલા બનાસકાંઠાના એક વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થઈ ગયું છે.


બનાસકાંઠાના યુવાનનું મોત થયું અયોધ્યામાં!

અનેક યુવાનો, શાળામાં ભણતા વિદ્યાર્થીઓ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. અનેક ઘટનાઓ આપણી સામે છે જેમાં હાર્ટ એટેકને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. હાર્ટ એટેકનો ખતરો પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે એક હાર્ટ એટેકનો કિસ્સો અયોધ્યાથી સામે આવ્યો છે. અયોધ્યામાં રામ ભગવાનના દર્શન માટે ગયેલા બનાસકાંઠાના એક વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર દર્શન કર્યા બાદ તે ત્યાં જ ઢળી પડ્યા. તેમના મૃતદેહને ગુજરાત લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.


અયોધ્યા જઈ રહેલા વ્યક્તિનું થયું હાર્ટ એટેકને કારણે મોત! 

મહત્વનું છે કે આની પહેલા અયોધ્યા જઈ રહેલા વ્યક્તિનું મોત ટ્રેનમાં થઈ ગયું હતું. વડોદરામાં રહેતા વ્યક્તિ રામ ભગવાનના દર્શન કરવા માટે અયોધ્યા જઈ રહ્યા હતા. અયોધ્યા પહોંચે તે પહેલા જ ટ્રેનમાં તેમને હાર્ટ એટેક આવી ગયો અને તેમનું મોત થઈ ગયું. મહત્વનું છે કે હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.     



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.