અવધેશ રાય હત્યા કેસમાં માફિયા મુખ્તાર અંસારીને આજીવન કેદ, એક લાખનો દંડ; કોર્ટે 32 વર્ષ બાદ ફટકારી સજા


  • Published By :
  • Published Date : 2023-06-05 15:56:29

ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ બાહુબલી મુખ્તાર અન્સારીને વારાણસીની MP/MLA કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. તે ઉપરાંત ડોન મુખ્તાર અન્સારીને કોર્ટે એક લાખથી વધુનો દંડ પણ લગાવ્યો છે. વારાણસીની MP/MLA કોર્ટના સ્પેશિયલ જજ અવનીશ ગૌતમે 32 વર્ષ જુના અવધેશ રાય હત્યા કેસમાં આ ચુકાદો સંભળાવ્યો છે. આજે સોમવારે ચુકાદો આપતા વારાણસી કોર્ટે પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીને દોષિત જાહેર કર્યો હતો. પૂર્વાચલમાં તમામ લોકોની નજર કોર્ટ પર હતી કે અદાલત મુખ્તાર અંસારીને શું સજા સંભળાવે છે.  


કોર્ટની બહાર જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા


છેલ્લા એક વર્ષમાં મુખ્તાર અંસારીને ચાર કેસમાં સજા થઈ છે. પરંતુ આ તમામ કેસમાં તેને અવધેશ રાય હત્યા કેસમાં પહેલીવાર આજીવન કેદની સજા થઈ છે. કોર્ટના નિર્ણયને ધ્યાનમાં રાખીને સિવિલ કોર્ટ સંકુલ તેમજ નવ માળની બિલ્ડીંગ સ્થિત કોર્ટ રૂમની સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી.


સમગ્ર મામલો શું છે?


અત્રે ઉલ્લેખનીય છે કે, 3 ઓગસ્ટ 1991ના રોજ વારાણસીમાં અજય રાયના ઘરની બહાર અવધેશની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અવધેશ રાય કોંગ્રેસના નેતા અજય રાયના ભાઈ હતા. આ હત્યાકાંડ પછી પૂર્વ ધારાસભ્ય અજય રાયે પૂર્વ ધારાસભ્ય અબ્દુલ કલામ સહિત મુખ્તાર અંસારી, ભીમ સિંહ, કમલેશ સિંહ, રાકેશ વિરુદ્ધ ચેતગંજ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. જોકે, 5 આરોપીઓ પૈકી અબ્દુલ અને કમલેશના મોત થયા છે. કોર્ટનો નિર્ણય આવતા પહેલા અજય રાયે કહ્યું કે, "તેમની 32 વર્ષની રાહ આજે પૂરી થઈ રહી છે અને તેમને આશા છે કે તેમને ન્યાય મળશે." દરમિયાન, નિર્ણયને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્ર દ્વારા સમગ્ર કોર્ટ સંકુલને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.