જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં થયું હિમસ્ખલન, અનેક લોકો ફસાયા હોવાની આશંકા


  • Published By :
  • Published Date : 2023-02-01 16:34:41

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષાને કારણે અનેક જગ્યાઓ પર સફેદ ચાદર પથરાઈ ગઈ છે. ત્યારે જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં આવેલા ગુલમર્ગ સ્કીઈંગ રિસોર્ટ હિમસ્ખલનની ઝપેટમાં આવી ગયું છે. સ્કી રિસોર્ટ અફરવાત નામની ચોટી પર આવેલું છે. રિપોર્ટસના અનુસાર આ હિમસ્ખલનમાં અનેક વિદેશી સ્કીયરો ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. લોકોને બચાવાની કામગીરી કરવામાં આવી રહી છે.


હિમસ્ખલન થતાં બે વિદેશીઓના થયા મોત

જમ્મુ-કાશ્મીરના ફેમસ ટૂરિસ્ટ પ્લેસ ગુલમર્ગમાં એક એવલાંચ આવ્યો હતો જેમાં સ્કી રિસોર્ટ જપેટામાં આવી ગયો હતો. મળતી માહિતી અનુસાર આ હિમસ્ખલનમાં પોલેન્ડના બે ટૂરિસ્ટની મોત થઈ ગઈ છે, તો સાથે સાથે 19 વિદેશી નાગરીકોને બચાવી લેવામાં આવ્યા છે. આમાં કેટલા લોકો ફસાયા છે તે અંગે જાણી શકાયું નથી. 


રેસ્ક્યુની ચાલી રહી છે કામગીરી

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અવલાંચ એટલે કે હિમસ્ખલનની ઝપેટમાં આવ્યા તે લોકો ઢાળ પર હતા. આ ઘટનામાં મરેલા લોકોની બોડી મળી આવી છે. આ અંગે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. થોડા દિવસ પહેલા જ એટલે કે 29 જાન્યુઆરીના રોજ લદાખના કારગિલમાં અવલાંચ આવ્યું હતું જેમાં પણ અનેક લોકોના મોત થયા હતા.

  

   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.