જૂનાગઢમાં મહંત રાજ ભારતી બાપુનો ઓડિયો ક્લીપ વાયરલ, વીડિયો વાયરલ થતા મહંતે લીધું આ પગલું!


  • Published By :
  • Published Date : 2023-01-24 19:10:23

જૂનાગઢના એક સાધુનો વિવાદીત વીડિયો વાયરલ થયો હતો. સાધુનો વીડિયો અને ઓડિયો ક્લીપ વાયરલ થતા તેમણે પોતાને ગોળી મારી દીધી હતી. ભવનાથ વિસ્તારમાં આવેલા ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડા રોડ પર આવેલા ખેતલીયા દાદા મંદિરના મહંત રાજભારતીબાપુએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે.     


બાપુનો દારૂ પીતો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ 

સોશિયલ મીડિયા પર સાધુઓના અનેક વિડીયો વાયરલ થતા રહે છે. જેને કારણે વિવાદ સર્જાતો હોય છે. ત્યારે ખેતલીયા દાદા મંદિરના મહંત રાજભારતી બાપુનો વીડિયો તેમજ ઓડિયો ક્લીપ વાયરલ થયો હતો. વાયરલ થયેલા ઓડિયો ક્લીપમાં સાધુ મહિલાની સાથે પ્રેમલાપની વાતો કરી રહ્યા છે. થોડા સમય પહેલા જ બાપુના દારૂ પીતો વીડિયો થયો હતો. તે સિવાય ઓડિયો ક્લીપ પણ વાયરલ થઈ હતી.   

 

લાઈસન્સ વાળી બંદુકથી લમણે ગોળી મારી 

એવું માનવામાં આવે છે આ વીડિયો વાયરલ થવાને કારણે રાજભારતી બાપુએ આ પગલું ભર્યું હોઈ શકે છે. પોતાના ખડીયા ગામ સ્થિત વાડીમાં તેમણે પોતાની લાઈસન્સવાળી બંદુકથી પોતાના માથે ગોળી મારી દીધી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તે પૂર્વે જ તેમનું મોત થઈ ગયું હતું. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.