અતુલ સુભાષ વિશે જાણો, પત્ની અને સાસરીના ત્રાસથી પુરુષને કોણ બચાવે?


  • Published By : Admin
  • Published Date : 2024-12-11 17:10:43

બંધારણ વંચિતની તરફેણમાં પણ વંચિત વિલન હોય તો?


આપણા દેશનું બંધારણ વંચિતની તરફેણમાં એટલે ઘડવામાં આવ્યું છે જેથી સદીઓના અન્યાય સામે એમને કાયદાનું રક્ષણ મળે, પણ એ કાયદાનો ગેરફાયદો જો કોઈ ઉપાડે છે તો એ સભ્યતાનું સૌથી મોટુ દુશ્મન છે, અને એમનાથી ખતરનાક આ સમાજ માટે બીજુ કોઈ જ નથી.. એક પુરૂષ જે સ્ત્રી અત્યાચારને કારણે મોતને ભેટ્યો એની વાત કરવી છે આજે... સમાજમાં પુરૂષ હોવુ એ ગુનો નથી એ વિષય પર વાત કરવી છે... સ્ત્રી શું કામ સ્ત્રીની આટલી મોટી દુશ્મન બની રહી છે એ પ્રશ્ન પુછવો છે, આજે વાત કરવી છે અતુલ સુભાષની


34 વર્ષનો દિકરો ગુમાવ્યો એ મા-બાપને ન્યાય કોણ અપાવશે? 

જેને અધિકાર મળ્યા હોય એ સમુદાયે સૌથી પહેલા અવાજ ઉઠાવવો જોઈએ જ્યારે એમની આસપાસના જ અમુક માણસો એ અધિકારનો ગેરફાયદો ઉઠાવવા માંડે. અતુલ સુભાષ નામે 34 વર્ષનો યુવાન, ઉંમર યાદ રાખજો માત્ર 34 વર્ષ, વર્ષ 2019માં એના લગ્ન થાય છે, લગ્નનાં 5 જ વર્ષમાં પત્ની અને સાસુ સસરા તરફથી એટલા ટોર્ચરનો સામનો કરે છે કે થોડા દિવસ પહેલા જ 40 પાનાની સ્યુસાઈડ નોટ અને દોઢ કલાકનો વીડિયો મુકીને મરી જાય છે... અતુલ કૌશીક આ એટલા માટે કરે છે કેમ કે એમને લાગે છે આ છેલ્લો રસ્તો બચ્યો છે નર્ક બની ગયેલી ન્યાય વ્યવસ્થામાં એના હિસ્સાનો ન્યાય મેળવવાનો... અતુલ કૌશીકના કિસ્સામાં દોઢ કલાકનો વીડિયો અને 40 પાના ભરીને સાબિતી સાથેની નોટ હોવાના કારણે આ વિષય ચર્ચાનું પણ કેન્દ્ર બન્યો, બાકી એલિમોનીના નામ પર, પુરુષ પાસેથી ભરણપોષણ મેળવવાના નામ પર સ્ત્રીઓ જે માનસીક અત્યાચાર પુરૂષો પર કરી રહી છે એનો ન્યાય ક્યાં જઈને માગવાનો... અતુલ કૌશિકના પત્નીએ એની પાસે 3 કરોડ રૂપિયા માંગ્યા, આરોપ એ છે કે જૌનપુરની અદાલતના જજે 5 લાખ રૂપિયાની લાંચ માંગી, જજ પણ મહિલા હતા, કાનૂન સ્ત્રી તરફી હોવાનો મતલબ કાનૂનનું જ ભ્રષ્ટાચારી કે કાનૂનના આંધળા હોવું નથી, પણ વર્ષોથી સાબિત તો એ જ થઈ રહ્યું છે... અતુલ કૌશિકે પત્ની અને એમના પરિવારને લાખો રૂપિયા આપ્યા હોવા છતા દહેજનો કેસ કરી દીધો, 2 વર્ષના બાળકનું મોંઢુ પણ ના જોવા દીધું... જાણે પિતાનો બાળક પર કોઈ જ અધિકાર ના હોય એ રીતે માનસીક ટોર્ચર કરવામાં આવ્યા, એક વાર કંટાળીને કહ્યું કે મરી જઈશ તો મરવા માટે ઉકસાવ્યો અને કહ્યું કે મર્યા પછી તારી સંપત્તિ મારી થઈ જશે અને તારા મા-બાપ મરશે તો એમની સંપત્તિમાં પણ મને હિસ્સો મળશે... આટલી નફ્ફટાઈથી એક સ્ત્રી, એક પત્ની, એક મા, એક વહુ બધા જ સંબંધોના વિચ્છેદ ઉડાવીને ઉકસાવી રહી છે 34 વર્ષના એક યુવાનને મરી જવા માટે... લગ્નના 6 મહિનાની અંદર જ અતુલ કૌશીકના સસરાનું મૃત્યું થઈ ગયુ હતુ તો આરોપ લગાવ્યો કે દહેજ માગવાના કારણે પિતા મૃત્યુ પામ્યા છે, છેલ્લા બે વર્ષમાં 120 વાર અદાલતના ચક્કર લગાવવા પડ્યા.. તારીખ પર તારીખ એનાં માથા પર મારવામાં આવી.. દિપીકા નારાયણ ભારદ્વાજ જે પુરૂષ અધિકાર માટેના એક્ટીવિસ્ટ છે એમણે આ કેસને લગતી માહિતી સોશલ મીડિયા એક્સ પર શેર કરી અને પછી આખા દેશમાં એની ચર્ચા થઈ રહી છે. જૌનપુરના જજથી લઈ અતુલ કૌશિકના પત્ની અને એમના સંબંધીઓ સામે પગલા ક્યારે લેવાશે એ ખબર નથી, અતુલના ભાઈ બિકાસ કુમારે બેંગ્લોરમાં ફરીયાદ દાખલ કરાવી છે, અતુલના પત્ની નિકિતા સિંઘાનીયા, સાસુ નિશા સિંઘાનીયા, સાળા અનુરાગ સિંઘાનીયા અને કાકા સુશિલ સિંઘાનીયા સામે આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો દાખલ કરાયો છે

અતુલની છેલ્લી 12 ઈચ્છાઓ જાણો 

ખુબ લાંબી નોટ્સમાંથી આ 12 માંગણીઓનો ભાવાનુવાદ મેં તમારી સામે મુક્યો છે, આ વાંચ્યા પછી કોઈ પણ સામાન્ય માણસને આઘાત લાગે એવો કિસ્સો છે, પણ કમનસીબી એ છે કે એક ઘરમાં 34 વર્ષના દિકરાની અર્થી ઉઠ્યા પછી આ પ્રશ્નો થઈ રહ્યા છે. હવે કોઈ જ જગ્યાએ આવી વાતોનું પૂનરાવર્તન ના થાય એના માટે પ્રયત્ન કરીએ

એકબાજુ શોષણનો શિકાર સ્ત્રી, બીજી બાજુ આવી બેફામ સ્ત્રી

આજે પણ અનેક સ્ત્રીઓ હદથી વધારે શોષણનો સામનો કરી રહી છે, ખુલીને અત્યાચાર સામે બોલી પણ નથી શકતી, એ 40-50 વર્ષની સ્ત્રીઓના ગાલ અનેક તમાચાઓના ભોગ બન્યા છે પણ એના મોંઢામાંથી હરફ નથી બહાર આવ્યો, ત્યારે આવી સ્ત્રીઓ જે એમને આશિર્વાદની જેમ મળેલા કાયદાનો ખોટો ઉપયોગ કરે છે, એ પરિવારો જે રૂપિયાની લાલચમાં દિકરીને ખોટા રસ્તે લઈ જાય છે અને છેલ્લે પોતાની જ દિકરીને બરબાદ કરી મુકે છે એવા લોકો આ સમાજના અને સ્ત્રી અધિકારોના સૌથી મોટા દુશ્મન બની રહ્યા છે... આવી પત્નીઓથી સમાજને બચાવીએ. 




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!