Gujaratમાં શાંતિ ભંગ કરવાનો કરાયો પ્રયાસ, Narmadaના સેલંબામાં બજરંગદળની શૌર્ય જાગરણ યાત્રા પર કરાયો પથ્થરમારો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-29 16:57:20

ગઈકાલે દેશમાં તેમજ રાજ્યમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું. રંગેચંગે ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ ગઈકાલે જ્યારે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું તે દરમિયાન અનેક જગ્યાઓથી મારામારીના તેમજ પથ્થરમારીના દ્રશ્યો સામે આવ્યા હતા. અસમાજીક તત્વો દ્વારા ધાર્મિક યાત્રા પર હુમલો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પથ્થરમારાની ત્રણ ઘટનાઓ સામે આવી છે. તે સિવાય પણ દાહોદથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં ડાયરામાં બબાલ થઈ હતી. તે દરમિયાન એક ગાડી ગણેશપંડાલમાં આવી પહોંચી હતી અને તોડફોડ કરી હતી.  

Stone pelting on Bajrang Dal Sharya Jagran Yatra | સેલંબા ખાતે વિધર્મી  લોકોએ પથ્થરમારો કરી આગચંપી; જિલ્લાનો તમામ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે ખડકાયો -  Divya Bhaskar

સેલંબામાં નિકળેલી શૌર્ય જાગરણ યાત્રા પર કરાયો પથ્થરમારો 

નર્મદા જિલ્લાના સેલંબામાં શૌર્ય જાગરણ યાત્રા નીકળી હતી. આ યાત્રા દરમિયાન અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ગુજરાત મહારાષ્ટ્રની સીમા પર આવેલા નર્મદા જિલ્લાના સેલાંબા ગામમાં શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રા નિકાળવામાં આવી હતી. જે પથ પરથી યાત્રા નિકળે છે ત્યાં મુસ્લીમ વસ્તી પણ રહે છે. ત્યારે મળતી માહિતી અનુસાર હિંદુ તેમજ મુસ્લિમ સમાજના લોકો આમને સામને આવી ગયા હતા અને બંને જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં અનકે લોકો ઈજાગ્રસ્ત થયા હોય તેવી માહિતી સામે આવી છે. આ હુમલાની જાણકારી મળતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો. પરિસ્થિતિ પર કાબુ મેળવવા પોલીસે ટીયર ગેસ પણ છોડ્યા હતા.    


મુસ્લિમ યુવકોએ યાત્રા પર કર્યો પથ્થરમારો 

ગઈકાલે ગણપતિ વિસર્જન દરમિયાન વડોદરાના મંજુસરમાં પથ્થરમારો થયા હોવાની ઘટના બની હતી. ગુજરાતને આમ તો શાંતિપ્રિય રાજ્ય માનવામાં આવે છે. પરંતુ અનેક કિસ્સાઓ આ વાતને ખોટી સાબિત કરતા હોય છે. જ્યારે ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવે છે, રસ્તા પરથી જ્યારે ધાર્મિક યાત્રા નિકળતી હોય છે તે વખતે તેની પર અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવતો હોય છે. જેને કારણે શાંતિ અશાંતિમાં પ્રવર્તિ ઉઠતી હોય છે. નર્મદા જિલ્લાના સેલંબામાં બજરંગદળની શૌર્ય જાગરણ યાત્રા નિકળી હતી. તે દરમિયાન હિંદુઓ તેમજ મુસ્લી જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસે કાયદા વ્યવસ્થાને ફરી એક વખત સ્થાપિત કરી દીધી છે. 

Stone pelting on Bajrang Dal Sharya Jagran Yatra | સેલંબા ખાતે વિધર્મી  લોકોએ પથ્થરમારો કરી આગચંપી; જિલ્લાનો તમામ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે ખડકાયો -  Divya Bhaskar

પરિસ્થિતિ પર કાબુ મેળવવા પોલીસને કરાઈ તૈનાત 

સેલંબામાં વિધર્મીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ જે અશાંતિ ફેલાઈ હતી તે દરમિયાન આગચંપીના બનાવ પણ બન્યા હતા. જે યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે તે આખા નર્મદા જિલ્લામાં ફરવાની હતી.  કુઇદા ગામથી સેલંબા સુધી આ શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અશાંતિને શાંત કરવા માટે પોલીસ કાફલાને ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યો છે.   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!