Rajkot એરપોર્ટ ઘટનાને લઈ વિપક્ષના સરકાર પર પ્રહાર! કોંગ્રેસે લખ્યું કે રાજકોટમાં વિકાસનું ચિત્ર સામે આવ્યું તો AAPએ લખ્યું કે કોઈ એવી જગ્યા છે કે જ્યાં ભાજપે....


  • Published By :
  • Published Date : 2024-06-29 17:44:21

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી એવી અનેક ઘટનાઓ બની છે જેને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અનેક મુદ્દાઓ એવા છે જેને લઈ વિપક્ષ સરકાર પર નિશાન સાધી રહ્યું છે. રાજકોટ અગ્નિકાંડને લઈ કોંગ્રેસ મેદાને આવી છે ત્યારે હવે રાજકોટના હિરાસર એરપોર્ટ પર જે ઘટની બની તેને લઈ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે. 

એરપોર્ટ પર બનાવામાં આવેલી કેનોપી ધરાશાઈ થઈ 

રાજકોટ એરપોર્ટ પર બનાવામાં આવી કેનોપી ભારે પવન તેમજ વરસાદને કારણે તૂટી પડી. જે એરપોર્ટ પર આ ઘટના બની છે તેનું ઉદ્ધાટન એક વર્ષ પહેલા જ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા આ મામલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે હવે રાજકોટમાં વિકાસનું ચિત્ર સામે આવ્યું છે. આ એરપોર્ટનું ઉદ્ધાટન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું - માત્ર 1 વર્ષ પહેલા..

શક્તિસિંહ ગોહિલ તેમજ જીગ્નેશ મેવાણીએ કહ્યું કે.. 

ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલે ભાજપની સરકાર પર પ્રહાર કર્યા છે. તે ઉપરાંત ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે ભાજપના ભ્રષ્ટ નેતા અને તેમના ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતના કારણે રાજકોટ એરપોર્ટનો એક ભાગ તૂટી પડ્યો. જો આ ઘટનામાં કોઈનું મોત થઈ જતું તો જવાબદારી કોણ લેતું?     


આમ આદમી પાર્ટીએ આ દુર્ઘટનાને લઈ કરી આ પોસ્ટ

ના માત્ર કોંગ્રેસ દ્વારા પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે. આપે સોશિયલ મીડિયા પર લખ્યું તે ગુજરાતમાં ભાજપ સરકારના ભ્રષ્ટાચારને ઉજાગર કરતી વધુ એક તસવીર, રાજકોટ એરપોર્ટના બહાર યાત્રી Pick up and Drop ક્ષેત્રના શેડ ધરાશાયી થયો. હવે તો સવાલએ છે કે કોઈ એવી જગ્યા છે કે જ્યાં ભાજપે ભ્રષ્ટાચાર ના કર્યો હોય? સામાન્ય જનતા ક્યાં સુધી મોદી અને ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બનશે? 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે