મહીસાગરમાં માથાભારે લોકોએ પત્રકારો પર કર્યો હુમલો, બે પત્રકારો ઈજાગ્રસ્ત, એક હુમલાખોરની ધરપકડ, બે ફરાર


  • Published By :
  • Published Date : 2023-06-27 21:44:32

મહીસાગર જિલ્લામાં માથાભારે લોકોએ પત્રકારો સાથે મારપીટ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. પત્રકારો આરોગ્ય તંત્રના અધિકારીઓ સાથે કવરેજ કરવા ગયા હતા તે દરમિયાન આ ઘટના ઘટી હતી. માથાભારે ઈસમો દ્વારા લાકડી વડે પત્રકારોની ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. પત્રકારો પર કરવામાં આવેલા આ હુમલામાં બે પત્રકારોને થઈ ગંભીર ઈજાઓ થઈ છે. પોલીસની હાજરીમાં જ પત્રકારો પર થયેલા હુમલાથી હોબાળો મચી ગયો છે. આ સમગ્ર મામલે દેવ પોલીસે માથા ભારે ઈસમની ધરપકડ કરી છે, ફરાર થયેલા બે લોકોને પકડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.  


આરોગ્ય તંત્રની રેડ દરમિયાન બની ઘટના


મહીસાગર જિલ્લાના બાલાસિનોરના દેવ ચોકડી પર પત્રકારો પર માથાભારે ઈસમોએ હુમલો કર્યો હતો. બાલાસિનોરના દેવ ચોકડી પર  આવેલી સોનલ કૃપા હોસ્પિટલમાં  આરોગ્ય વિભાગની રેડ દરમિયાન આ ઘટના બની હતી. બોગસ ડોકટરને લઈ કરાયેલી આરોગ્ય તંત્રની રેડ દરમિયાન કવરેજ માટે ગયેલા પત્રકારો પર ભયાનક હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિક માથાભારે લોકોએ આરોગ્ય કર્મીઓ સાથે પણ બીભત્સ ગાળા ગાળી કરી હતી અને તેમની ધક્કા મૂકી પણ કરવામાં આવી હતી. 


બે કોન્સ્ટેબલ સ્થળ છોડી ગાયબ


પત્રકારો અને આરોગ્ય તંત્રની ટીમ પર થયેલા આ હુમલામાં પોલીસ વિભાગની બેદરકારી પણ સામે આવી હતી. આરોગ્ય વિભાગના ચેકીંગ દરમિયાન બે કોન્સ્ટેબલ તેમની સુરક્ષા માટે હાજર હતા. જો કે હુમલો થતાં જ બે કોન્સ્ટેબલ સ્થળ છોડી ગાયબ થઈ ગયા હતા. ફરજ પર હાજર બે કોન્સ્ટેબલએ દાખવેલી બેદરકારીની અંગે પણ પત્રકારોમાં ખાસ્સો રોષ છે. આ ઘટના અંગે મહીસાગર જિલ્લાના  તમામ પત્રકારો દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર આપી કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.