આસામમાં ભારત જોડો ન્યાય યાત્રા પર હુમલો, કોંગ્રેસનો આરોપ - BJPના કાર્યકરોએ ગાડીઓ તોડી


  • Published By :
  • Published Date : 2024-01-21 16:47:44

આસામના જમુગુરીઘાટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં નિકળેલી ભારત જોડો ન્યાય યાત્રા પર કથિત રીતે ભાજપના સમર્થકોએ હુમલો કર્યો હતો. પાર્ટીએ કહ્યું કે રાહુલ ગાંધીના આગમન પહેલા ભાજપના કાર્યકર્તાઓ તેમના માર્ગ પર માર્ચ કરી રહ્યા હતા, ત્યારે જ ભારત જોડો ન્યાય યાત્રાના વાહનોનો કાફલો તે વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. કોંગ્રેસનો દાવો છે કે ભાજપના સમર્થકોએ કેટલાક વાહનોમાં તોડફોડ કરી હતી અને ભારત જોડો ન્યાય યાત્રાના કેમેરા ક્રૂ પર પણ હુમલો કર્યો હતો.


જયરામ રમેશની કાર પર હુમલો


કોંગ્રેસે દાવો કર્યો છે કે આસામના સોનિતપુર જિલ્લામાં ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ પાર્ટીના અગ્રણી નેતા જયરામ રમેશની કાર અને કેમેરા ક્રૂ સાથે ભાજપના કાર્યકર્તાઓએ ઝપાઝપી કરી હતી.આપને જણાવી દઈએ કે આજે ભારત જોડો ન્યાય યાત્રાનો ચોથો દિવસ છે. આસામ. છે. જે બિસવંત જિલ્લાથી સોનિતપુર થઈને નાગાંવ જઈ રહી છે. આ કથિત હુમલો રાહુલ ગાંધી નાગાંવ જિલ્લાના કાલિયાબોરમાં રેલીને સંબોધિત કરે તે પહેલા થયો હતો.


અંધાધૂંધી સર્જી 


સમાચાર એજન્સી PTI અનુસાર, ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) ના સંચાર સંયોજક મહિમા સિંહે કહ્યું કે આ વિસ્તારમાં ભાજપનો કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો અને કેટલાક મીડિયાકર્મીઓ તેની તસવીરો લેવા માટે તેમના વાહનોમાંથી નીચે ઉતર્યા હતા. તેઓએ અમારા માટે ખૂબ જ ડરામણી પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું, તેઓએ એક વ્લોગરનો કૅમેરો પરત કરવાનો પણ ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે જયરામ રમેશ અને અન્ય કેટલાક લોકોને લઈ જતી કાર જમુગુરીઘાટ નજીક યાત્રામાં સામેલ થવા જઈ રહી હતી ત્યારે તેના પર હુમલો થયો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.