હિંદુ સંગઠનના કાર્યકરો દ્વારા કરાયો આપની કાર્યાલય પર હુમલો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 10:56:14

 જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોઈને કોઈ મુદ્દા પર વિવાદ ચાલતો રહે છે. આમ આદમી પાર્ટી પણ આ વખતે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે ઉતરી છે. આપનો પ્રચાર કરવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન દિલ્હીમાં આપના નેતાનો વિડીયો વાયરલ થતો હતો. અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં હતા તે દરમિયાન તો વિરોધ થયો હતો પરંતુ તેમના ગયા બાદ પણ વિરોધ થવાનો યથાવત છે. સુરતમાં આવેલા આપના કાર્યાલય પર તોડફોડ કરવામાં આવી હતી તેમજ આપનું પોસ્ટર પર ફાળી નાખવામાં આવ્યું હતું. 


સુરતમાં આપના કાર્યાલયમાં હિંદુ સંગઠનના કાર્યકરોએ કરી તોડફોડ

ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે. કેજરીવાલ અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. હાલમાં જ તેઓ બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, તેમના પ્રવાસ દરમિયાન આપના નેતાનો વિડીયો વાયરલ થયો હતો જે બાદ અરવિંદ કેજરીવાલને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેમને હિંદુ વિરોધી દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.  

સુરત ખાતે આવેલી આપના કાર્યાલય પર હુમલો કરવામાં આવ્યો હતો. ગોડાદરા વિસ્તારમાં આવેલા માધવ શોપિસ સેન્ટરમાં સ્થિત કાર્યાલય પર ભગવા વસ્ત્ર પહેરેલા બજરંગ સેના નામના હિન્દુ સંંગઠનના કાર્યકરોએ તોડફોટ કરી હતી. 





એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.