Delhiના નવા સીએમ બન્યા Atishi, Arvind Kejriwal આજે આપશે રાજીનામું


  • Published By :
  • Published Date : 2024-09-17 13:28:30

અરવિંદ કેજરીવાલે રવિવારે જાહેરાત કરી હતી કે તે બે દિવસ બાદ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાના છે.. સાંજનો સમય પણ એલજી પાસે તેમણે માગ્યો છે.. અરવિંદ કેજરીવાલ બાદ મુખ્યમંત્રી કોણ બનશે દિલ્હીના તેની પર સૌ કોઈની નજર રહેલી હતી. આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ.. અને આતિશી દિલ્હીના મુખ્યમંત્રીની ભૂમિકા નિભાવશે. મહત્વનું છે કે જ્યારે આપના દિગ્ગજ નેતાઓ જ્યારે જેલમાં હતા ત્યારે આતિશીએ જ પાર્ટીની કમાન સંભાળી હતી..

આતિશી બનશે દિલ્હીના મુખ્યમંત્રી 

આજથી દિલ્હીના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર આતિશી સંભાળશે..કેજરીવાલના ઘરે વિધાયક દળની બેઠક મળી હતી જેમાં ખુદ અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મુક્યો અને સર્વસંમતિથી નામ પર મહોર લાગી..એમ પણ મુખ્યમંત્રીની રેસમાં આતિશી આગળ ચાલી રહ્યા હતા. ગોપાલ રાયે આતિશીના નામની જાહેરાત કરી..મહત્વનું છે કે આતિશી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાનાના નજીકના માનવામાં આવે છે અને વિશ્વાસુ પણ માનવામાં આવે છે... આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ જ્યારે જેલમાં હતા ત્યારે પાર્ટીનો કાર્યભાર તેમણે જ સંભાળ્યો હતો.. શિક્ષણ મંત્રી તરીકે પણ તેમણે કાર્યભાર સંભાળ્યો હતો...


અરવિંદ કેજરીવાલને કેમ આપવું પડ્યું રાજીનામું?

હવે વાત કરીએ કે અરવિંદ કેજરીવાલને કેમ રાજીનામું કેમ આપવું પડીએ તેની તો એક્સાઈજ પોલીસી કેસમાં તેમને જેલ થઈ.. 13 તારીખે સુપ્રીમ કોર્ટે તેમને શરતી જામીન આપ્યા કે તે સીએમ ઓફિસ નહીં જઈ શકે.. તે પછી 15 તારીખે એટલે રવિવારે તેમણે જાહેરાત કરી કે બે દિવસ પછી તે રાજીનામું આપી દેશે. આજે સાંજે તે મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપી દેશે.. જાહેરાત કરતા તેમણે કહ્યું હતું કે તે સીએમ પદ ત્યાં સુધી નહીં સંભાળે જ્યાં સુધી જનતા પોતાનો નિર્ણય ના સંભળાવી દે.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે