અતીક અને અશરફની હત્યા મામલે સુપ્રીમે UP સરકારની ઝાટકણી કાઢી, અસદના પોલીસ એન્કાઉન્ટર પર પણ રિપોર્ટ માંગ્યો


  • Published By :
  • Published Date : 2023-04-28 14:42:37

અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાની તપાસની માગ સાથે સંબંધિત એક અરજી અંગે સુપ્રીમ કોર્ટ ત્રણ સપ્તાહ બાદ સુનાવણી હાથ ધરશે.અરજીમાં પોલીસની હાજરીમાં અતિક-અશરફની હત્યાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સ્વતંત્ર નિષ્ણાત સમિતિની રચના કરવાની માંગ કરવામાં આવી હતી.


સુપ્રીમ કોર્ટે સરકારને પુછ્યા આકરા સવાલ


આ કેસમાં સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને પૂછ્યું કે માફિયા બંધુઓ અતીક અને અશરફને લઈ જતા વાહનને સીધા હોસ્પિટલ કેમ ન લઈ જવામાં આવી? તેના પર ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું કે તેઓએ આ મામલાની તપાસ માટે એક કમિશનની નિમણૂક કરી છે. મુકુલ રોહતગી ઉત્તર પ્રદેશ સરકાર વતી કોર્ટમાં હાજર થયા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ ઘટના ટીવી પર જોઈ છે. બંનેને કારમાં સીધા હોસ્પિટલ કેમ ન લઈ જવાયા. તેમની પરેડ શા માટે કરવામાં આવી હતી?


યુપી સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો


જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચે ઝાંસીમાં અહેમદના પુત્ર અસદના પોલીસ એન્કાઉન્ટર પર યુપી સરકાર પાસેથી રિપોર્ટ પણ માંગ્યો હતો. અસદને 13 એપ્રિલના રોજ યુપી પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (ST) ટીમ દ્વારા એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. બે દિવસ પછી, અતીક અહેમદ અને અશરફને મીડિયાકર્મી તરીકે આવેલા ત્રણ માણસોએ ગોળી મારી દીધી હતી.


સુપ્રીમ કોર્ટમાં થઈ છે અરજીઓ


પૂર્વ આઈપીએસ અધિકારી અમિતાભ ઠાકુર અને સુપ્રીમ કોર્ટના વકીલ એડવોકેટ વિશાલ તિવારીએ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને અતીક અહેમદ અને તેના ભાઈની હત્યાની સીબીઆઈ તપાસ સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટની દેખરેખ હેઠળ કરાવવાની માંગ કરી હતી. અમિતાભ ઠાકુરે અરજીમાં કહ્યું હતું કે ભલે અતીક અહેમદ અને તેનો ભાઈ ગુનેગાર હોય પરંતું જે રીતે તેમની હત્યા કરવામાં આવી છે તે ઘટના  રાજ્ય પોષિત હોવાની પૂરતી સંભાવના દર્શાવે છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.