ગેંગસ્ટર અતીક અને અશરફની હત્યા, હવે યુપી પોલીસ સુપ્રીમ કોર્ટને શું જવાબ આપશે?


  • Published By :
  • Published Date : 2023-04-16 12:31:09

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શનિવારે મોડી રાત્રે માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ દુ:સાહસી ઘટનાને કારણે ઉત્તર પ્રદેશની કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે. યુપી પોલીસે આ હત્યાના મામલામાં સુપ્રીમ કોર્ટ સમક્ષ જવાબ આપવો પડશે. અતીકને બી વોરંટ પર પ્રયાગરાજ લાવવા માટે યુપી પોલીસે સુપ્રીમ કોર્ટને તેની સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી હતી.


સાબરમતી જેલમાં મોકલવાની સુપ્રીમે આપી હતી મંજુરી


દેવરિયા જેલકાંડ કેસમાં અતીક અહેમદને સુપ્રીમ કોર્ટના આદેશ પર જ ગુજરાતની સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો હતો. થોડા દિવસો પહેલા ઉમેશ પાલ અપહરણ કેસમાં તેને પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. ચાર કલાક સુધી નૈની જેલમાં રાખ્યા બાદ તેને પરત મોકલી દેવામાં આવ્યો હતો. તાજેતરમાં તેને કોર્ટની પરવાનગી બાદ જ લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન કોર્ટે અતીકની સુરક્ષાને લઈને ઘણી મહત્વપૂર્ણ ગાઈડલાઈન પણ આપી હતી.


પોલીસની ભૂમિકા પર ઉઠ્યા સવાલ


માફિયા અતીક અને તેના ભાઈની હત્યા બાદ યુપી પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા સારી હોવાના દાવાઓ અને ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા પર પણઆંગળી ચીંધવામાં આવી રહી છે. માફિયા અતીક અને તેના ભાઈની પોલીસ કસ્ટડીમાં જ જે રીતે હત્યા કરવામાં આવી છે તે જોઈને બધા ચોંકી ગયા છે. રાજુ પાલ મર્ડર કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની ગયા મહિને જ પ્રયાગરાજમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન બે સુરક્ષાકર્મીઓ પણ શહીદ થયા હતા. ત્યારે પણ પોલીસની ભારે બેઈજ્જતી થઈ હતી.


17 પોલીસકર્મીઓ સસ્પેન્ડ  


પ્રયાગરાજ હત્યાકાંડથી નારાજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ક્ષણે ક્ષણના ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.આ હત્યા કેસમાં મોડી રાત્રે 17 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલે ન્યાયિક તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.