India-Pakistanના ભાગલા વખતે ભાઈ ભારતમાં રહી ગયા અને બહેન પાકિસ્તાન પહોંચી ગઈ, વર્ષો પહેલા બંને મળ્યા ત્યારે સર્જાયા ભાવુક દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2023-08-09 10:03:08

અત્યાર સુધી આપણે પાકિસ્તાનથી પ્રેમ માટે ભારત આવતી સીમાની કહાની સાંભળી, અંજુ કઈ રીતે પાકિસ્તાન ગઈ એ પણ સાંભળ્યું. આજે પણ પ્રેમકહાણીની વાત કરવી છે પરંતુ ભાઈ બહેનના પ્રેમની. એ ભાઈ બહેન જે 75 વર્ષ પહેલા વિખૂટા પડી ગયા હતા. 75 વર્ષ પછી એક ભાઈ બહેન મળે છે વિભાજના સમયે ભાઈ ભારતમાં હતા જ્યારે બહેન પાકિસ્તાન હતા. 

ભાગલા સમયે શું થયું? 

6 ઓગસ્ટ સાંજનો સમય હતો કતારપૂર બોર્ડર પર બંને ભાઈ-બહેન મળ્યા મીટિંગ દરમિયાન બંને એકબીજાને ગળે લગાવ્યા અને લાંબા સમય સુધી એકબીજાને જોઈને રડતા રહ્યા, એ ખૂબ કરૂણ દ્રશ્યો હતા. એક અહેવાલ મુજબ આ પાકિસ્તાનમાં જન્મેલી સકીનાની વાર્તા છે. 1947માં ભાગલા સમયે સકીનાનો પરિવાર લુધિયાણામાં રહેતો હતો. વિભાજન સમયે, સકીનાનો પરિવાર પાકિસ્તાન ગયો, જ્યારે તેની માતા ભારતમાં રહી. 


પરિવાર પાકિસ્તાન જતો રહ્યો પરંતુ બાળક ભારતમાં રહી ગયો.. 

આઝાદી બાદ બંને દેશો વચ્ચે એક કરાર થયો હતો કે ગુમ થયેલા લોકોને એકબીજાને પરત કરવામાં આવશે. તેના પિતાની અપીલ પર પાકિસ્તાની સેનાના જવાનો તેની માતાને લેવા લુધિયાણા પહોંચ્યા હતા. જ્યારે સેના આવી ત્યારે સકીનાનો 5 વર્ષનો ભાઈ ગુરમેલ સિંહ ગ્રેવાલ ઘરે નહોતો. પાકિસ્તાની સેનાની ઉતાવળમાં ગુરમેલ ભારતમાં જ રહ્યો. સકીનાનો જન્મ આઝાદી બાદ પાકિસ્તાનમાં થયો હતો.અને આ કારણે તે પોતાના ભાઈની મળી શકી ન હતી 

યુટ્યુબના માધ્યમથી સકીનાએ ભાઈને શોધવાનો કર્યો પ્રયત્ન 

મીડિયા સાથે વાત કરતાં સકીનાએ જણાવ્યું કે શરૂઆતમાં તેના ભાઈએ પરિવારને ઘણા પત્રો મોકલ્યા હતા. ધીરે ધીરે ભાઈના પત્રો પણ આવતા બંધ થઈ ગયા. સકીનાના કહેવા પ્રમાણે, જ્યારે તે મોટી થઈ ત્યારે તેના પિતાએ તેના ભાઈની તસવીર બતાવી. પિતાએ તેને કહ્યું હતું કે ભાઈ લુધિયાણામાં રહે છે.મોટા થઈને, તેણે તેના ભાઈને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ કંઈપણ મળ્યું નહીં.પછી આ સ્ટોરી પાકિસ્તાની યુટ્યુબર નાસિર ધિલ્લોને મળી હતી. તેણે સકીનાનો વીડિયો બનાવ્યો. આ વીડિયોમાં સકીનાએ લોકોને તેના ભાઈને શોધવાની અપીલ કરી હતી. 


6 ઓગષ્ટે ભાઈ બહેનનો થયો મિલાપ, સર્જાયા ભાવુક કરી દે તેવા દ્રશ્યો 

આ વીડિયો લુધિયાણાના જસોવાલ સુદાન ગામના સરપંચ જગતાર સિંહે જોયો હતો. તેણે ગુરમેલ સિંહને ઓળખ્યો.આમ 74 વર્ષીય સકીનાએ તેના 80 વર્ષીય ભાઈ ગુરમેલ સાથે પ્રથમ વખત વીડિયો કોલ પર વાત કરી હતી. સકીના અને ગુરમેલના પરિવારજનોએ કરતારપુર સાહિબ ખાતે મળવાનું આયોજન કર્યું અને 6 ઓગસ્ટે ભાઈ બહેન મળ્યા હવે બંનેને આશા છે કે ભારત અને પાકિસ્તાનની સરકારો તેમને વિઝા આપશે, જેથી બંને ભાઈ-બહેન તેમના જીવનના આગામી વર્ષો એકબીજા સાથે વિતાવી શકે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!