ચૂંટણી સમયે નેતાઓ તો મોરબી દુર્ઘટનાને ભૂલી જશે, પણ શું સ્થાનિકો યાદ રાખશે?


  • Published By :
  • Published Date : 2022-11-30 15:09:57

ગુજરાતમાં પ્રથમ તબક્કા માટે થનારા મતદાનને માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ચૂંટણને લઈ તમામ ઉમેદવારો અને પાર્ટી એકદમ એક્ટિવ મોડમાં આવી ગઈ હતી. પ્રચાર દરમિયાન અનેક મુદ્દાઓ પર વાત કરવામાં આવી પરંતુ મોરબીમાં બનેલી હોનારતને લઈ કોઈએ પણ ચર્ચા નથી કરી. ત્યારે મોરબી દુર્ઘટનાને લઈ સ્થાનિકોએ ભાજપ પ્રત્યે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ચૂંટણી પૂર્વે મોરબીમાં ભાજપ વિરુદ્ધ બેનર લાગ્યા હતા જેમાં લખવામાં આવ્યું હતું કે જ્યાં સુધી મૃતકો અને ઘાયલોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ભાજપને મત નહીં. 


મોરબીમાં ભાજપ વિરૂદ્ધ લાગ્યા બેનર 

આવતી કાલથી ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે. પહેલા તબક્કામાં 89 બેઠકો માટે મતદાન થવાનું છે. મોરબીની ત્રણ બેઠકો માટે પણ આવતી કાલે મતદાન થવાનું છે. પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે પરંતુ હવે મોરબીના સ્થાનિકોએ ભાજપને મત ન આપવાની અપીલ કરી છે. ભાજપે કાંતીલાલ અમૃતીયાને મોરબીના ઉમેદવાર તરીકે   જાહેર કર્યા છે. ત્યારે ચૂંટણી પહેલા ભાજપ વિરુદ્ધ બનેર લાગ્યા છે અને મોરબી હોનારતમાં મૃત્યુ પામેલા લોકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ભાજપને મત ન આપવાની વાત કહી છે. આ પ્રકારના બેનર લાગતા ભાજપ અને કાંતિલાલ અમૃતિયાની ચિંતામાં વધારો થયો છે.

માળીયા તાલુકાના ગામોને સિંચાઈની સુવિધા અપાવવા પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ  બાંયો ચઢાવી | Former MLA Kanti Amritiya raised left to provide irrigation  facilities to the villages ...

અમુક લોકો મતદારોને ભમ્રિત કરી રહ્યા છે  - કાંતિલાલ  અમૃતીયા

ભાજપના ઉમેદવારે આ અંગે પત્રકાર પરિષદ કરી હતી જેમાં તેમણે કહ્યું કે મોરબીમાં રાવણરાજ બંધ કરાવી આવનારા દિવસોમાં રામરાજ લાવું છે. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે મોરબીમાં અમુક લોકો ખોટા સ્ટંટ અને દેખાવ કરી રહ્યા છે. અને મતદારોને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

Morbi bridge collapse updates: Army, Air Force and Navy join NDRF for  rescue ops | Hindustan Times

મોરબી હોનારતમાં અનેક લોકોના થયા હતા મોત 

દિવાળીના તહેવાર દરમિયાન મચ્છુ નદી પર આવેલો ઝૂલતો બ્રિજ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં અંદાજીત 130થી વધુ લોકોના મોત થયા હતા. કાર્યવાહીના ભાગ રૂપે તંત્રે નાના માણસોને સકંજામાં લીધા પરંતુ આ ઘટનામાં મોટા માથાઓ પર કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. મૃતકોને ન્યાય ન મળતા લોકોમાં મોરબી દુર્ઘટનાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.