ચૂંટણી સમયે નેતાઓ તો મોરબી દુર્ઘટનાને ભૂલી જશે, પણ શું સ્થાનિકો યાદ રાખશે?


  • Published By :
  • Published Date : 2022-11-30 15:09:57

ગુજરાતમાં પ્રથમ તબક્કા માટે થનારા મતદાનને માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ચૂંટણને લઈ તમામ ઉમેદવારો અને પાર્ટી એકદમ એક્ટિવ મોડમાં આવી ગઈ હતી. પ્રચાર દરમિયાન અનેક મુદ્દાઓ પર વાત કરવામાં આવી પરંતુ મોરબીમાં બનેલી હોનારતને લઈ કોઈએ પણ ચર્ચા નથી કરી. ત્યારે મોરબી દુર્ઘટનાને લઈ સ્થાનિકોએ ભાજપ પ્રત્યે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ચૂંટણી પૂર્વે મોરબીમાં ભાજપ વિરુદ્ધ બેનર લાગ્યા હતા જેમાં લખવામાં આવ્યું હતું કે જ્યાં સુધી મૃતકો અને ઘાયલોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ભાજપને મત નહીં. 


મોરબીમાં ભાજપ વિરૂદ્ધ લાગ્યા બેનર 

આવતી કાલથી ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે. પહેલા તબક્કામાં 89 બેઠકો માટે મતદાન થવાનું છે. મોરબીની ત્રણ બેઠકો માટે પણ આવતી કાલે મતદાન થવાનું છે. પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે પરંતુ હવે મોરબીના સ્થાનિકોએ ભાજપને મત ન આપવાની અપીલ કરી છે. ભાજપે કાંતીલાલ અમૃતીયાને મોરબીના ઉમેદવાર તરીકે   જાહેર કર્યા છે. ત્યારે ચૂંટણી પહેલા ભાજપ વિરુદ્ધ બનેર લાગ્યા છે અને મોરબી હોનારતમાં મૃત્યુ પામેલા લોકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ભાજપને મત ન આપવાની વાત કહી છે. આ પ્રકારના બેનર લાગતા ભાજપ અને કાંતિલાલ અમૃતિયાની ચિંતામાં વધારો થયો છે.

માળીયા તાલુકાના ગામોને સિંચાઈની સુવિધા અપાવવા પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ  બાંયો ચઢાવી | Former MLA Kanti Amritiya raised left to provide irrigation  facilities to the villages ...

અમુક લોકો મતદારોને ભમ્રિત કરી રહ્યા છે  - કાંતિલાલ  અમૃતીયા

ભાજપના ઉમેદવારે આ અંગે પત્રકાર પરિષદ કરી હતી જેમાં તેમણે કહ્યું કે મોરબીમાં રાવણરાજ બંધ કરાવી આવનારા દિવસોમાં રામરાજ લાવું છે. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે મોરબીમાં અમુક લોકો ખોટા સ્ટંટ અને દેખાવ કરી રહ્યા છે. અને મતદારોને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

Morbi bridge collapse updates: Army, Air Force and Navy join NDRF for  rescue ops | Hindustan Times

મોરબી હોનારતમાં અનેક લોકોના થયા હતા મોત 

દિવાળીના તહેવાર દરમિયાન મચ્છુ નદી પર આવેલો ઝૂલતો બ્રિજ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં અંદાજીત 130થી વધુ લોકોના મોત થયા હતા. કાર્યવાહીના ભાગ રૂપે તંત્રે નાના માણસોને સકંજામાં લીધા પરંતુ આ ઘટનામાં મોટા માથાઓ પર કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. મૃતકોને ન્યાય ન મળતા લોકોમાં મોરબી દુર્ઘટનાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!