ભાવનગરમાં નિરમા કંપનીના ગેટ પાસે પ્રેમિકાએ જ પ્રેમીને પતાવી દીધો, હત્યાનું કારણ અકબંધ


  • Published By :
  • Published Date : 2024-01-09 18:57:25

ભાવનગર નજીક ભાલ પંથકમાં આવેલ નિરમા કંપનીના દરવાજા પાસે આજે બપોરે એક યુવાનની ઘાતકી હત્યા થતા અરેરાટી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે બપોરના સમયે ભાવનગર શહેર નજીક ભાલ પંથકમાં આવેલ નિરમા કંપનીના ગેટ પાસે આજે બપોરે એક યુવાનની  હત્યા થઈ હતી. ખૂનનાં આ બનાવની જાણ થતા જ વેળાવદર- ભાલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો છે અને તપાસ ચલાવી રહ્યો છે. 


હત્યાનું કારણ અકબંધ


યુવાનની હત્યાને લઈ પોલીસે શરૂ કરેલી પ્રાથમિક તપાસમાં મૃતક યુવકનું નામ વિપુલ હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ પ્રેમિકાએ જ પ્રેમી યુવાનની હત્યા કરી હોવાની આશંકા છે, આ મામલે પોલીસે પ્રેમિકાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે. જો કે વિપુલની પ્રેમિકાએ હત્યાને હત્યાને અંજામ શા માટે આપ્યો તે હજુ જાણી શકાયું નથી. 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.