ભાવનગરમાં નિરમા કંપનીના ગેટ પાસે પ્રેમિકાએ જ પ્રેમીને પતાવી દીધો, હત્યાનું કારણ અકબંધ


  • Published By :
  • Published Date : 2024-01-09 18:57:25

ભાવનગર નજીક ભાલ પંથકમાં આવેલ નિરમા કંપનીના દરવાજા પાસે આજે બપોરે એક યુવાનની ઘાતકી હત્યા થતા અરેરાટી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે બપોરના સમયે ભાવનગર શહેર નજીક ભાલ પંથકમાં આવેલ નિરમા કંપનીના ગેટ પાસે આજે બપોરે એક યુવાનની  હત્યા થઈ હતી. ખૂનનાં આ બનાવની જાણ થતા જ વેળાવદર- ભાલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો છે અને તપાસ ચલાવી રહ્યો છે. 


હત્યાનું કારણ અકબંધ


યુવાનની હત્યાને લઈ પોલીસે શરૂ કરેલી પ્રાથમિક તપાસમાં મૃતક યુવકનું નામ વિપુલ હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ પ્રેમિકાએ જ પ્રેમી યુવાનની હત્યા કરી હોવાની આશંકા છે, આ મામલે પોલીસે પ્રેમિકાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે. જો કે વિપુલની પ્રેમિકાએ હત્યાને હત્યાને અંજામ શા માટે આપ્યો તે હજુ જાણી શકાયું નથી. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.