વડોદરામાં પરીક્ષા સેન્ટર પર આટલી મિનિટ મોડી પહોંચતા વિદ્યાર્થિનીને ન આપવા મળી પરીક્ષા! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-03-21 15:00:23

રાજ્યમાં હાલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. આ બોર્ડની પરીક્ષા કડક નિયમો હેઠળ લેવામાં આવતી હોય છે. ત્યારે ઘણી વખત કડક નિયમોને કારણે પરીક્ષાર્થીઓને નુકસાન ભોગવવું પડતું હોય છે. કડક નિયમોનું દ્રષ્ટાંત પૂરું પાડતો એક કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. ગઈકાલે ધોરણ 10નું સાયન્સનું પેપર હતું, જેમાં વડોદરાની એક વિદ્યાર્થીની પરીક્ષા સેન્ટર પર 35 મિનિટ મોડી પહોંચી હતી, જેને લીધે પરીક્ષા ખંડમાં  તેને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. પ્રવેશ ન મળતા વાલીઓએ શાળા બહાર હોબાળો કર્યો હતો. પરંતુ છોકરીને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.


વિદ્યાર્થિની તેમજ તેના વાલીઓ ભૂલી ગયા કે આજે પરીક્ષા છે!

બોર્ડ પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓમાં તેમજ વાલીઓમાં અનેરો ઉત્સાહ તેમજ પરીક્ષાને લઈ ચિંતા જોવા મળતી હોય છે. બોર્ડ સેન્ટર પર વિદ્યાર્થીઓ પરીક્ષા શરૂ થાય તે પહેલા એક્ઝામ સેન્ટર પર પહોંચી જતા હોય છે. ત્યારે વડોદરાથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં લેટ પડવાને કારણે વિદ્યાર્થીનીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. આ ઘટના છે વડોદરાની સાધુ વાસવાણી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પ્રિયાંશીની. ગઈકાલે સાયન્સનું પેપર હતું જેમાં એક્ઝામ સેન્ટર એટલે કે બ્રાઈટ સ્કુલ ખાતે મોડી પહોંચી હતી. શાળાએ પહોંચવામાં તેને 35 મિનિટ જેટલું મોડું થઈ ગયું હતું. બોર્ડના નિયમોને ધ્યાનમાં રાખી તેને પરીક્ષા માટે પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.

બ્રાઇટ સ્કૂલમાં પરીક્ષા આપવાની હતી.

એક્ઝામ સેન્ટર બહાર વાલીઓ કર્યો હોબાળો!

પ્રવેશ ન મળતા વિદ્યાર્થીનીના વાલીએ શાળા બહાર હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીનીના વાલીઓનું કહેવું હતું કે રસ્તામાં તેમનું વાહન બગડી જતા સેન્ટરે આવવામાં તેમને મોડું થયું ઉપરાંત તેમને ખબર પણ ન હતી કે આજે સાયન્સનું પેપર છે. અને જ્યારે તેમને પરીક્ષા અંગે ખબર પડી તો તેઓ શાળાએ દોડી આવ્યા હતા. રસ્તામાં વાહન બગડવાને કારણે વિદ્યાર્થીની પરીક્ષા સેન્ટર પર 10.35એ પહોંચી હતી. વિદ્યાર્થીનીનું ભવિષ્ય ન બગડે તે માટે પરીક્ષામાં બેસવાદે તેવી વિનંતી વાલી દ્વારા કરવામાં આવી હતી.

 

એન્ટ્રીનો સમય વીતી જતા વિદ્યાર્થીનીને ન અપાયો પ્રવેશ  

આ મામલો ઉગ્ર બન્યો જેને લઈ બ્રાઈટ સ્કુલના સ્થળ સંચાલક નિતા સંઘવી બહાર દોડી આવ્યા હતા. આ અંગે તેમણે કહ્યું કે પ્રવેશખંડમાં 10.30 કલાક બાદ પ્રવેશ આપવામાં આવતો નથી. અને પ્રિયાંશી 5 મિનિટ મોડી પડી હતી. લેટ થવાને કારણે પ્રિયાંશી પેપર આપી શક્શે નહી. આ સાંભળતા વિદ્યાર્થીનીએ વિનંતી કરતા કહ્યું કે 5 મિનિટ માટે મારૂ ભવિષ્ય ન બગાડો. મને પરીક્ષા આપવા દો. જેને લઈ સ્થળ સંચાલકે ડી.ઓ. ઓફિસમાં ફોન કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું કે બોર્ડના જે નિયમ છે તેને અનુસરવામાં આવે અને તે મુજબના પગલાં લેવામાં આવે. 10.30 બાદ કોઈને પણ શાળામાં પ્રવેશ આપવામાં નથી આવતો. અને નિયમો મુજબ વિદ્યાર્થીનીને એક્ઝામ હોલમાં પ્રવેશ આપવામાં ન આવ્યો હતો. જો કે સ્થળ સંચાલકે કહ્યું કે જો વિદ્યાર્થીનીના માર્ક્સ સારા હશે તો તે જુલાઈમાં સાયન્સનું પેપર આપીને પોતાનું વર્ષ બચાવી શકશે. ત્યારે જોવાનું એ રહ્યું કે શું પ્રિયાંશી પોતાનું વર્ષ બચાવી શકશે કે નહી.


અનેક વખત તંત્રની ભૂલને કારણે વિદ્યાર્થીઓને આવે છે ભોગવવાનો વારો!

પરંતુ ઘણી વખત એવા અનેક બનાવ બનતા હોય છે જેમાં તંત્રની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવતો હોય છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા રાજકોટની સ્કૂલમાં બાળકોને યોગ્ય સમયે પૂરવણી ન મળવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ મુ્દ્દાને લઈ વાલીઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક વિદ્યાર્થીઓને 15થી 20 મિનિટ બાદ પુરવણી આપવામાં આવી હતી જેને કારણે તેમનું પેપર પણ છુટ્યું હોવાની વાત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ જ્યારે તંત્રને કારણે વિદ્યાર્થીઓને ભોગવવું પડે છે તે અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે ખરી?            




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!