AstraZeneca Vaccine : બ્રિટિશ કોર્ટમાં કંપનીએ સ્વીકાર્યું કે રસીની સાઇડ ઇફેક્ટથી લોહીમાં ગાંઠો પડે છે? જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-04-30 12:44:44

થોડા વર્ષો પહેલા આપણે કોરોના મહામારી જેવી મહામારીનો સામનો કર્યો.. અનક લોકોના મોત આ કોરોનાને કારણે થયા, અનેક પરિવારે પોતાના સભ્યોને ગુમાવ્યા... કોરોના સામે લડવા માટે વેક્સિન તૈયાર કરવામાં આવી... કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થયો..નાની નાની વયના લોકોના મોત હાર્ટ એટેકને કારણે થવા લાગ્યા. ત્યારે એવું માનવામાં આવતું કે કોરોના વેક્સિનની સાઈડ ઈફેક્ટને કારણે આ કિસ્સાઓમાં વધારો થયો છે. ત્યારે કોરોના વેક્સિન કોવિશિલ્ડ બનાવતી કંપની એસ્ટ્રજેનેકા દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. 

અનેક લોકો પર થઈ રસીની ગંભીર સાઈડ ઈફેક્ટ!

કોરોનાથી બચવા માટે અનેક કંપની દ્વારા કોરોના વેક્સિન તૈયાર કરવામાં આવી. અલગ અલગ કંપનીઓએ વેક્સિન તૈયાર કરી.. AstraZenecaએ પણ કોરોના વેક્સિન તૈયાર કરી જેને આપણે કોવિશિલ્ડ નામથી ઓળખીએ છીએ.. આ વેક્સિન અલગ અલગ નામોથી વિશ્વભરમાં લોકોને આપવામાં આવી... આ બધા વચ્ચે અનેક પરિવારો દ્વારા કોર્ટમાં કેસ કરવામાં આવ્યા કે રસની સાઈડ ઈફેક્ટ થઈ છે... AstraZeneca રસી લીધા પછી મૃત્યુ, લોહી ગંઠાઈ જવા અને અન્ય ગંભીર સમસ્યાઓના કારણે કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહી છે. ઘણા પરિવારોએ આક્ષેપ કર્યો હતો કે રસીના કારણે ગંભીર આડઅસર થઈ છે.


આ વ્યક્તિએ કર્યો હતો કેસ 

આ મામલે મળતી માહિતી અનુસાર, મીડિયા રિપોર્ટ અનુસાર સ્ટ્રેઝેનેકા સામે પહેલો કેસ જેમી સ્કોટ નામના વ્યક્તિએ નોંધાવ્યો હતો. એપ્રિલ 2021માં એસ્ટ્રાઝેનેકા રસી લીધા પછી તેમને મગજની કાયમી ઈજા થઈ હતી. રસી લીધા પછી તે કામ કરી શક્યો નહીં. જેમીની હાલત ખરાબ થવા લાગી.. જેમીને ટીટીએસ નામની ગંભીર સાઈડ ઈફેક્ટ થઈ. આ બિમારીને કારણે દિમાગમાં લોહીની ગાંઠો પડી શકે છે... ત્યારે આને લઈ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો.. જે દરમિયાન કંપની દ્વારા એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો કે વેક્સિનની સાઈડ ઈફેક્ટ જોવા મળી રહી છે...  


કોર્ટમાં કંપનીએ રિપોર્ટ રજૂ કર્યો... 

રિપોર્ટ અનુસાર એસ્ટ્રાઝેનેકાએ આ વર્ષે જ ફેબ્રુઆરીમાં જ કોર્ટમાં દસ્તાવેજો જમા કરાવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે તેની કોવિડ રસી કેટલાક કેસોમાં TTSનું કારણ બની શકે છે. યુકે હાઈકોર્ટમાં કંપની વિરુદ્ધ 51 કેસ નોંધાયેલા છે. આની પહેલા મે 2023 માં, એસ્ટ્રાઝેનેકાએ કહ્યું હતું કે તે સામાન્ય રીતે રસીને કારણે TTS થવાની સંભાવનાને સ્વીકારતું નથી. જો કે, હવે કંપની કહી રહી છે કે કેટલાક દુર્લભ કિસ્સાઓમાં આવું થઈ શકે છે. અને તેને ખબર નથી કે આવું કેમ થયું. કંપનીનું એમ પણ કહેવું છે કે ટીટીએસ રસી વિના પણ થઈ શકે છે. કંપનીએ કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજોમાં પ્રથમ વખત સ્વીકાર્યું છે કે, કોવિડ-19 વેક્સિનના કારણે લોહીની ગાંઠો જામવા જેવી સાઈડ ઇફેક્ટ્સ થઇ શકે છે. જોકે, કંપનીએ દાવો કર્યો હતો કે આવા સાઈડ ઇફેક્ટ્સના કેસોની સંખ્યા ખૂબ ઓછી છે.  



પાકિસ્તાન હમણાં ઘણા સમયથી અલગાવવાદી તાકાતોનો સામનો કરી રહ્યું છે . થોડાક સમય પેહલા અફઘાનિસ્તાને પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક કરવી પડી હતી અને હવે બલુચિસ્તાન લિબરેશન આર્મીએ આ ટ્રેન હાઇજેક કરી .

ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .