Ahmedabad Ayodhya વચ્ચે શરૂ થઈ આસ્થા સ્પેશિયલ ટ્રેન, ભૂપેન્દ્ર પટેલે બતાવી લીલી ઝંડી...


  • Published By :
  • Published Date : 2024-02-08 11:14:54

અયોધ્યા આ નામ સાંભળતા જ આપણી આગળ ભગવાન રામની મનોહર પ્રતિમાની ઝાંખી આવી જાય. 22 જાન્યુઆરીએ અનેક ભક્તો માટે અનેરો ક્ષણ હતો જ્યારે રામ ભગવાન મંદિરમાં બિરાજમાન થયા હતા. સમગ્ર દેશ રામમય બની ગયો હોય તેવું લાગતું હતું. કરોડો ભક્તો આ ક્ષણના સાક્ષી બન્યા હતા. જ્યારથી મંદિર ભક્તો માટે ખુલ્લુ મૂકાયું છે ત્યારથી અયોધ્યામાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. લાખોની સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છે. 

આસ્થા સ્પેશ્યલ ટ્રેનની કરાઈ શરૂઆત  

દેશના વિવિધ રાજ્યોથી ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો ત્યાં પહોંચી રહ્યા છે. ગુજરાતીઓ પણ અયોધ્યા રામ ભગવાનના દર્શન કરવા જઈ શકે તે માટે સાબરમતીથી અયોધ્યા સુધીની ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદથી આ ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલે આ ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા સ્પેશ્યલ ટ્રેનને બુધવારે સીએમએ પ્રસ્થાન કરાવ્યું છે. આ સ્પેશ્યલ ટ્રેનમાં 1400 જેટલા શ્રદ્ધાળુઓ છે જે ભગવાન રામના દર્શન કરશે. ગુજરાતથી ગયેલા યાત્રાળુઓની યાત્રા મંગળમય રહે તેવી શુભેચ્છા ભૂપેન્દ્ર પટેલે પાઠવી છે. 

ahmedabad-news-cm-bhupendra-patel-flagged-off-the-astha-special-train-from-sabarmati-railway-station-to-ayodhya-279716

ભગવાન રામ છે અનેક ભક્તોના ઈષ્ટ!

મહત્વનું છે કે અનેક દાયકાઓ બાદ ભગવાન રામના મૂર્તિની નિજ મંદિરમાં સ્થાપના કરવામાં આવી છે. અનેક સંઘર્ષો બાદ એ ક્ષણ આવ્યો હતો જે ક્ષણના સાક્ષી આપણે લોકો બન્યા હતા. ભગવાન રામની મૂર્તિની જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે અનેક લોકોની આંખોમાં હરખના આંસુ પણ આવી ગયા હતા. અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.