Ahmedabad Ayodhya વચ્ચે શરૂ થઈ આસ્થા સ્પેશિયલ ટ્રેન, ભૂપેન્દ્ર પટેલે બતાવી લીલી ઝંડી...


  • Published By :
  • Published Date : 2024-02-08 11:14:54

અયોધ્યા આ નામ સાંભળતા જ આપણી આગળ ભગવાન રામની મનોહર પ્રતિમાની ઝાંખી આવી જાય. 22 જાન્યુઆરીએ અનેક ભક્તો માટે અનેરો ક્ષણ હતો જ્યારે રામ ભગવાન મંદિરમાં બિરાજમાન થયા હતા. સમગ્ર દેશ રામમય બની ગયો હોય તેવું લાગતું હતું. કરોડો ભક્તો આ ક્ષણના સાક્ષી બન્યા હતા. જ્યારથી મંદિર ભક્તો માટે ખુલ્લુ મૂકાયું છે ત્યારથી અયોધ્યામાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. લાખોની સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છે. 

આસ્થા સ્પેશ્યલ ટ્રેનની કરાઈ શરૂઆત  

દેશના વિવિધ રાજ્યોથી ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો ત્યાં પહોંચી રહ્યા છે. ગુજરાતીઓ પણ અયોધ્યા રામ ભગવાનના દર્શન કરવા જઈ શકે તે માટે સાબરમતીથી અયોધ્યા સુધીની ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદથી આ ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલે આ ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા સ્પેશ્યલ ટ્રેનને બુધવારે સીએમએ પ્રસ્થાન કરાવ્યું છે. આ સ્પેશ્યલ ટ્રેનમાં 1400 જેટલા શ્રદ્ધાળુઓ છે જે ભગવાન રામના દર્શન કરશે. ગુજરાતથી ગયેલા યાત્રાળુઓની યાત્રા મંગળમય રહે તેવી શુભેચ્છા ભૂપેન્દ્ર પટેલે પાઠવી છે. 

ahmedabad-news-cm-bhupendra-patel-flagged-off-the-astha-special-train-from-sabarmati-railway-station-to-ayodhya-279716

ભગવાન રામ છે અનેક ભક્તોના ઈષ્ટ!

મહત્વનું છે કે અનેક દાયકાઓ બાદ ભગવાન રામના મૂર્તિની નિજ મંદિરમાં સ્થાપના કરવામાં આવી છે. અનેક સંઘર્ષો બાદ એ ક્ષણ આવ્યો હતો જે ક્ષણના સાક્ષી આપણે લોકો બન્યા હતા. ભગવાન રામની મૂર્તિની જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે અનેક લોકોની આંખોમાં હરખના આંસુ પણ આવી ગયા હતા. અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.     



૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .