સોમવારે મેઘાલય અને નાગાલેન્ડમાં યોજાશે વિધાનસભાની ચૂંટણી, શાંત થયા પ્રચાર પડઘમ


  • Published By :
  • Published Date : 2023-02-25 19:25:52

2023માં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. થોડા દિવસો પહેલા ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી ત્યારે પૂર્વના બે રાજ્યોમાં સોમવારે ચૂંટણી યોજાવાની છે. મેઘાલય અને નાગાલેન્ડમાં ચૂંટણી યોજાવાની છે જેને લઈ શનિવારથી આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. બંને રાજ્યોમાં ભાજપની ગઠબંધનની સરકારો હતી. આ વખતે મેઘાલયમાં ભાજપ અને એનસીપી અલગ અલગ ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન દરેક પાર્ટીએ એક બીજા પર આકરા પ્રહાર કર્યા હતા. 


27 ફેબ્રુઆરીના રોજ યોજાશે મતદાન 

બંને રાજ્યોની ચૂંટણી માટે ભાજપના દિગ્ગજ નેતાઓએ પ્રચાર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ તેમજ ભાજપના વરિષ્ઠ નેતાઓ પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા હતા. જ્યારે કોંગ્રેસે પણ વરિષ્ઠ નેતાઓએ પ્રચારમાં ઉતાર્ચા હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગે, જયરામ રમેશ સહિત અનેક નેતાઓએ પ્રચાર કર્યો હતો. પ્રચારના છેલ્લા દિવસે દરેક પાર્ટીએ પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. બંને રાજ્યોમાં મતદાન 27 ફેબ્રુઆરીના રોજ યોજાવાનું છે જ્યારે ચૂંટણીનું પરિણામ 2 માર્ચના રોજ યોજાવાનું છે.       


સુરક્ષાને લઈ સીમાઓ કરાઈ સીલ   

ચૂંટણીને અનુલક્ષી ભારત-બાંગ્લાદેશની સીમાઓને સીલ કરી દેવામાં આવી છે. તે સિવાય આસામને જોડતી સીમાને પણ સીલ કરી દેવામાં આવી છે. સુરક્ષા માટે જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ વખતની ચૂંટણીમાં 60 વિધાનસભા બેઠકો માટે 375 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામવાનો છે. તો બીજી તરફ નાગાલેન્ડમાં પણ 60 બેઠકો માટે મતદાન થવાનું છે. 59 બેઠકો માટે જ મતદાન થવાનું છે કારણ કે એક બેઠક પર ભાજપના ઉમેદવાર નિર્વિરોધ ચૂંટાઈ ગયા છે. 183 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામવાનો છે. નાગાલેન્ડની સીમાને પણ સીલ કરવામાં આવી છે. 




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!