સોમવારે મેઘાલય અને નાગાલેન્ડમાં યોજાશે વિધાનસભાની ચૂંટણી, શાંત થયા પ્રચાર પડઘમ


  • Published By :
  • Published Date : 2023-02-25 19:25:52

2023માં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. થોડા દિવસો પહેલા ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી ત્યારે પૂર્વના બે રાજ્યોમાં સોમવારે ચૂંટણી યોજાવાની છે. મેઘાલય અને નાગાલેન્ડમાં ચૂંટણી યોજાવાની છે જેને લઈ શનિવારથી આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. બંને રાજ્યોમાં ભાજપની ગઠબંધનની સરકારો હતી. આ વખતે મેઘાલયમાં ભાજપ અને એનસીપી અલગ અલગ ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન દરેક પાર્ટીએ એક બીજા પર આકરા પ્રહાર કર્યા હતા. 


27 ફેબ્રુઆરીના રોજ યોજાશે મતદાન 

બંને રાજ્યોની ચૂંટણી માટે ભાજપના દિગ્ગજ નેતાઓએ પ્રચાર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ તેમજ ભાજપના વરિષ્ઠ નેતાઓ પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા હતા. જ્યારે કોંગ્રેસે પણ વરિષ્ઠ નેતાઓએ પ્રચારમાં ઉતાર્ચા હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગે, જયરામ રમેશ સહિત અનેક નેતાઓએ પ્રચાર કર્યો હતો. પ્રચારના છેલ્લા દિવસે દરેક પાર્ટીએ પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. બંને રાજ્યોમાં મતદાન 27 ફેબ્રુઆરીના રોજ યોજાવાનું છે જ્યારે ચૂંટણીનું પરિણામ 2 માર્ચના રોજ યોજાવાનું છે.       


સુરક્ષાને લઈ સીમાઓ કરાઈ સીલ   

ચૂંટણીને અનુલક્ષી ભારત-બાંગ્લાદેશની સીમાઓને સીલ કરી દેવામાં આવી છે. તે સિવાય આસામને જોડતી સીમાને પણ સીલ કરી દેવામાં આવી છે. સુરક્ષા માટે જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ વખતની ચૂંટણીમાં 60 વિધાનસભા બેઠકો માટે 375 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામવાનો છે. તો બીજી તરફ નાગાલેન્ડમાં પણ 60 બેઠકો માટે મતદાન થવાનું છે. 59 બેઠકો માટે જ મતદાન થવાનું છે કારણ કે એક બેઠક પર ભાજપના ઉમેદવાર નિર્વિરોધ ચૂંટાઈ ગયા છે. 183 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામવાનો છે. નાગાલેન્ડની સીમાને પણ સીલ કરવામાં આવી છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.