વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે PM મોદી વલસાડ અને સુરેન્દ્રનગરમાં જનસભાને સંબોધશે


  • Published By :
  • Published Date : 2022-11-02 19:59:35


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક્સનમાં આવ્યા છે. ભાજપ વિરોધી માહોલ હોવાથી પીએમ મોદી રાજ્યના વિવિધ ભાગોમાં પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે મોદી એક માત્ર તારણહાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી 6 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે.આ દરમિયાન તેઓ વલસાડ અને સુરેન્દ્રનગરમાં જનસભાને સંબોધશે. આ સિવાય તેઓ આ જ દિવસે ભાવનગરમાં સમુહ લગ્નના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. 


PM મોદી 6 નવેમ્બરે વલસાડની મુલાકાતે


પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આગામી 6 નવેમ્બરે દક્ષિણ ગુજરાતના વલસાડની મુલાકાતે આવશે. તેઓ કપરાડાના નાનામોંઢામાં ચૂંટણી પ્રચાર કરશે. નાના મોંઢામાં યોજાનારી જનસભાને સંબોધશે. આદીવાસી મતદારોનું પ્રભુત્વ ધરાવતી કપરાડા વિધાનસભા બેઠક પર આ વખતે ત્રિપાંખિયો જંગ છે. પીએમ મોદી આદીવાસીઓને આકર્ષવા માટે આ વિસ્તારમાં જંગી રેલીને સંબોધશે.


કપરાડા બેઠક પર ત્રિપાંખિયો જંગ


કપરાડા બેઠક પરથી જયેન્દ્ર ગાવિત AAPની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પરથી ભાજપમાં ત્રણ દાવેદારો મેદાનમાં છે. કપરાડાના વર્તમાન ધારાસભ્ય જીતુ ચૌધરી છે, જે હાલ રાજ્યના પાણી પુરવઠા મંત્રી છે. આ બેઠક પર જીતુ ચૌધરીએ ફરી દાવેદારી નોંધાવી છે. તો, તેમની સાથે ભાજપના જુના જોગી કહેવાતા મધુ રાઉત, ગુલાબ રાઉત, અને પૂર્વ ધારાસભ્ય મુકેશ પટેલે પણ પોતાની દાવેદારી નોંધાવી છે. હવે જોવાનું એ છે આ કપરાડા બેઠક માટે કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવે છે?.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.