આસામ પોલીસે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધી, યાત્રાને ગુવાહાટીમાં પ્રવેશ કરતા રોકી, કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ


  • Published By :
  • Published Date : 2024-01-23 14:39:24

રાહુલ ગાંધીના નેતૃત્વવાળી ભારત જોડો ન્યાય યાત્રાને આસામ પોલીસે ગુવાહાટીમાં પ્રવેશ કરતા રોકી દીધી છે. આ યાત્રા સાથે ચાલી રહેલા લગભગ પાંચ હજાર જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓને પોલીસે રોક્યા તો પોલીસ સાથે તેમનું ઘર્ષણ થયું હતું. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે સંઘર્ષ થતાં પોલીસે રાહુલ ગાંધી સામે FIR નોંધાવી છે.


રાહુલ ગાંધીના કાફલાને રોકવામાં આવ્યો


મળતી જાણકારી મુજબ રાહુલ ગાંધીના કાફલાને ગુવાહાટી શહેરમાં પ્રવેશ રોકવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન અને બેરિકેડ તોડી નાખ્યા હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ વિરોધ પ્રદર્શન દરમિયાન પણ સુત્રોચ્ચાર ચાલું રાખ્યો હતો. કોંગ્રેસ સમર્થકોને આગળ વધતા રોકવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. પોલીસે આ મામલે ખુલાસો કરતા કહ્યું કે યાત્રાને ગુવાહાટીમાં પ્રવેશની મંજુરી નહોંતી તેમ છતાં કોંગ્રેસે યાત્રાનો શહેરમાં પ્રવેશ કરાવ્યો હતો. આ મામલે CM હિમંત બિસ્વ સરમાએ DGP સાથે વાતચીત કર્યા બાદ રાહુલ ગાંધી વિરૂધ્ધ કેસ નોંધાવાની સૂચના આપી હતી.


મુખ્યમંત્રીએ શું કહ્યું? 


રાહુલ ગાધીની યાત્રા અંગે સીએમ હિમંત બિસ્વ સરમાએ કહ્યું હતું કે માર્ગો પર જામની સ્થિતીને ટાળવા માટે યાત્રાને ગુવાહાટી શહેરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ દરમિયાન ભારત જોડો યાત્રા દરમિયાન ખાનાપારામાં ગુવાહાટી ચોક પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.