આસામ પોલીસે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધી, યાત્રાને ગુવાહાટીમાં પ્રવેશ કરતા રોકી, કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ


  • Published By :
  • Published Date : 2024-01-23 14:39:24

રાહુલ ગાંધીના નેતૃત્વવાળી ભારત જોડો ન્યાય યાત્રાને આસામ પોલીસે ગુવાહાટીમાં પ્રવેશ કરતા રોકી દીધી છે. આ યાત્રા સાથે ચાલી રહેલા લગભગ પાંચ હજાર જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓને પોલીસે રોક્યા તો પોલીસ સાથે તેમનું ઘર્ષણ થયું હતું. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે સંઘર્ષ થતાં પોલીસે રાહુલ ગાંધી સામે FIR નોંધાવી છે.


રાહુલ ગાંધીના કાફલાને રોકવામાં આવ્યો


મળતી જાણકારી મુજબ રાહુલ ગાંધીના કાફલાને ગુવાહાટી શહેરમાં પ્રવેશ રોકવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન અને બેરિકેડ તોડી નાખ્યા હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ વિરોધ પ્રદર્શન દરમિયાન પણ સુત્રોચ્ચાર ચાલું રાખ્યો હતો. કોંગ્રેસ સમર્થકોને આગળ વધતા રોકવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. પોલીસે આ મામલે ખુલાસો કરતા કહ્યું કે યાત્રાને ગુવાહાટીમાં પ્રવેશની મંજુરી નહોંતી તેમ છતાં કોંગ્રેસે યાત્રાનો શહેરમાં પ્રવેશ કરાવ્યો હતો. આ મામલે CM હિમંત બિસ્વ સરમાએ DGP સાથે વાતચીત કર્યા બાદ રાહુલ ગાંધી વિરૂધ્ધ કેસ નોંધાવાની સૂચના આપી હતી.


મુખ્યમંત્રીએ શું કહ્યું? 


રાહુલ ગાધીની યાત્રા અંગે સીએમ હિમંત બિસ્વ સરમાએ કહ્યું હતું કે માર્ગો પર જામની સ્થિતીને ટાળવા માટે યાત્રાને ગુવાહાટી શહેરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ દરમિયાન ભારત જોડો યાત્રા દરમિયાન ખાનાપારામાં ગુવાહાટી ચોક પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.