હિંદુ મહિલાઓ પર કરાયેલી ટિપ્પણી પર આસામના સાંસદ બદરૂદ્દીન અજમલે માગી માફી


  • Published By :
  • Published Date : 2022-12-04 13:38:07

આસામના લોકસભાના સાંસદ બદરૂદ્દીન અજમલે થોડા દિવસો પહેલા હિંદુઓની લાગણીને ઠેસ પહોંચે તેવી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે અનેક હિંદુ નેતાઓ મુસલમાનોના ખિલાફ બોલે છે. તેમણે કહ્યું કે હિંદુઓએ મુસલમાનની માફક નાની ઉંમરમાં લગ્ન કરી લેવા જોઈએ. હિંદુઓએ વસ્તી વધારવા મુસ્લિમોની ફોર્મ્યુલા અપનાવી જોઈએ. તેમના આવા નિવેદનથી વિવાદ વકરી રહ્યો છે. પોતાના નિવેદન પર તેમણે માફી પણ માગી છે.

  

હિંદુઓને ઠેસ પહોંચે તેવું આપ્યું હતું નિવેદન 

વિવાદીત નિવેદનમાં તેમણે એવું કહ્યું કે મુસ્લિમ છોકરીઓના લગ્ન 18 વર્ષમાં થઈ જાય છે, અને મુસ્લિમ છોકરાઓના લગ્ન 20-22 વર્ષે થઈ જાય છે. તો બીજી તરફ હિંદુઓ 40 વર્ષ પહેલા લગ્ન નથી કરતા, અને 40 વર્ષ પછી માતા-પિતાના પ્રેશરમાં આવી જાય છે. પરંતુ 40 વર્ષની બાદ બાળક પૈદા કરવાની તાકાત ક્યા રહે છે. તો પછી કેવી રીતે બાળકો જન્મશે. તેમના કહેવા પ્રમાણે હિંદુઓએ 20-22ની ઉંમરે લગ્ન કરી લેવા જોઈએ. 

વિવાદ વધતા સાંસદે માગી માફી 

તેમના આ નિવેદનથી હિંદુઓની લાગણીને ઠેસ પહોંચી હતી. અનેક લોકોએ આ ટિપ્પણી પર નારજગી વ્યક્ત કરી હતી. ભાજપે પણ આ મુદ્દે તેમના પર નિશાન સાધ્યું હતું. માફી માગતા તેમણે કહ્યું કે જો મારા શબ્દોથી હિંદુઓની લાગણી દુભાઈ હોય તો તે પોતાના શબ્દો પાછા લે છે. મારો ઈરાદો કોઈની લાગણીને ઠેસ પહોચાડવાનું ન હતું. 




આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.