હિમંતા બિસ્વા સરમાનો વાણીવિલાસ, 'કોંગ્રેસને મત આપશો તો બાબરો અને ઔરંગઝેબોને વિટામિન મળશે'


  • Published By :
  • Published Date : 2023-11-08 22:29:40

મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આ પહેલા તમામ રાજકીય પક્ષો જનતાને રિઝવવા માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પણ મધ્યપ્રદેશ પહોંચ્યા અને ખંડવામાં ચૂંટણી રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું, "જો કોંગ્રેસ ચૂંટણી જીતશે તો બાબર અને ઔરંગઝેબ આખા ભારતમાં આપણા લોકો પર અત્યાચાર કરવાનું શરૂ કરશે." તેમણે જનતાને કોંગ્રેસને મત ન આપવા અપીલ પણ કરી હતી.


'કોંગ્રેસને મત આપવાથી ઔરંગઝેબને વિટામિન મળે છે'


સરમાએ પોતાના સંબોધનમાં કહ્યું કે જ્યારે દિગ્વિજય સિંહ હિંદુઓ વિરુદ્ધ બોલે છે ત્યારે લોહી ઉકળી ઉઠે છે. આસામના સીએમએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસને વોટ આપવાનો અર્થ છે દેશમાં 'બાબરો'ને પ્રોત્સાહિત કરવા. જ્યારે કોંગ્રેસને વોટ મળે છે ત્યારે ઔરંગઝેબોને વિટામિન મળે છે.


'કમલનાથ ચૂંટણીલક્ષી હિન્દુ બન્યા'


તેમણે વધુમાં કહ્યું કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે કમલનાથ અને કોંગ્રેસ હિન્દુ બની જાય છે. આ દરમિયાન તેમણે મહાદેવ એપ કેસનો પણ ઉલ્લેખ કર્યો અને આરોપ લગાવ્યો કે ભૂપેશ બઘેલે રૂ. 500 કરોડનું કૌભાંડ કર્યું છે. તેઓએ મહાદેવ એપ નહીં પણ ભૂપેશ એપ લાવવી જોઈએ.


'કોંગ્રેસની જીત બાદ કર્ણાટકમાં તોફાનો શરૂ'


સરમાએ કહ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસની જીત થઈ અને બાબરો અને ઔરંગઝેબોને ઓક્સિજન મળી ગયો. તેમને આ ઓક્સિજન ક્યાંથી મળ્યો તે ખબર નથી, પરંતુ ત્યાં હંગામો શરૂ થઈ ગયો. તેમણે દાવો કર્યો કે જો કોંગ્રેસ જીતે છે, તો તેમના તોફાનો તરત જ શરૂ થઈ જાય છે. આ તેમની રાજનીતિ છે... આપણે કોંગ્રેસના 'ચુંટણીલક્ષી' હિન્દુત્વને નકારી કાઢવું ​​પડશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.