નવસારીના ચકચારી લવ જેહાદ કેસના આરોપી અસીમ શેખનું પોલીસે કાઢ્યું સરઘસ, લોકોએ પોલીસની કામગીરીની કરી પ્રશંસા


  • Published By :
  • Published Date : 2023-07-05 19:42:38

નવસારીમાં હિંદૂ સગીરાને લગ્નની લાલચ આપી અને ફોસલાવીને અનેક વાર દુષ્કર્મ આચરનારો અસીમ નિઝામમિયા શેખ નામનો યુવક અંતે ઝડપાઈ ગયો છે. નવસારીના ખેરગામમાં ચકચાર મચાવી દેનારા લવ જેહાદ કેસના મુખ્ય આરોપી અસીમ શેખનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. જિલ્લા પોલીસ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત સાથે ખેરગામ બજારમાં આરોપી અસીમનું સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં લોકો તે જોવા માટે ઉમટ્યા હતા. લવ જેહાદનો આરોપી વિધર્મી અસીમ શેખ પકડાતા અને તેનું સરઘસ નિકળતા હિંદુ સંગઠનોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. સંગઠનના કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા, સ્થાનિક લોકોએ પણ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી.


સમગ્ર મામલો શું હતો?


નવસારી જિલ્લાના ખેરગામના કુંભારવાડામાં રહેતો અસીમ નિઝામમિયા શેખ નામના યુવકે હિન્દુ સગીરાને પટાવી ફોસલાવીને અનેક વાર દુષ્કર્મ કર્યું હતું. આ મામલે ખેરગામ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, અસીમ શેખે 2019થી એક હિન્દુ સગીર યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને તેની સાથે લગ્ન કરવાનું વચન આપીને તેનો ઉપયોગ કર્યો હતો. છોકરી તેનો બદઈરાદો જાણી જતાં તેણે તેનો વિરોધ કર્યો હતો.  જો કે અસીમે તેને ધમકાવીને મારપીટ કરી અને ઘણીવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ સમગ્ર મુદ્દે અંતે પીડિતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને પોલીસે આરોપીની મુંબઈથી ધરપકડ કરી હતી. મંગળવારે અસીમ શેખને કોર્ટમાં રજુ કરતા તારીખ 13 જુલાઈ સુધીના 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. 


આરોપી ગુનાઈત ઈતિહાસ ધરાવે છે


અસીમ શેખ હિસ્ટ્રીશીટર છે, નવસારી જિલ્લાનો માથા ભારેબુટલેગર છે. તેની સામે નવસારી, વલસાડ તેમજ સુરત શહેરમાં પ્રોહીબીશન અલગ-અલગ 14 જેટલા ગુનાઓ તથા મારામારીના ત્રણ ગુનાઓ ઉપરાંત વ્યાજખોરી બાબતનો એક ગુનો નોંધાયો છે. તેની પર કુલ 18 જેટલા ગુનાઓ નોંધાયેલ છે. જેમાં વલસાડ જિલ્લાના 05 જેટલા ગુનામાં તે હાલમાં વોન્ટેડ છે. ઉપરાંત તેના ઉપર બે વખત પાસાની કાર્યવાહી કરવામાં પણ આવેલી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.