Asia Cup 2023 : એશિયા કપનું શિડ્યુલ જાહેર, હાઈબ્રિડ મોડલમાં રમાશે ટુર્નામેન્ટ, 2 સપ્ટેમ્બરે INDvsPAKની મેચ


  • Published By :
  • Published Date : 2023-07-19 21:16:55

એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આજે એશિયા કપ 2023નું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે, એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહ દ્વારા સત્તાવાર રીતે એશિયા કપ 2023નું શિડ્યુલ જાહેર કરાયું છે, અને આ એશિયા કપ આગામી 30 ઓગસ્ટથી શરુ થવા જઈ રહ્યો છે. 


હાઈબ્રિડ મોડલમાં રમાશે એશિયા કપ, 2 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાની મેચ  


એશિયા કપ 2023ની યજમાની આ વખતે પાકિસ્તાન કરી રહ્યું છે, પંરતુ ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને ભારતીય ટીમના ખેલાડીઓની સુરક્ષાને કેન્દ્રમાં રાખીને ACCએ આ એશિયા કપ હાઈબ્રિડ મોડલમાં રમાડવાનો નિર્ણય કર્યો છે, એટલે કે આ ટુર્નામેન્ટની માત્ર ચાર મેચ પાકિસ્તાનમાં રમાશે, જ્યારે બાકીની તમામ મેચ શ્રીલંકામાં રમાવાની છે. મતલબ કે ભારતીય ટીમ તેની તમામ મેચ શ્રીલંકામાં જ રમશે, પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે.  



એશિયા કપની શરુઆત 30 ઓગસ્ટથી થશે, જેમાં પહેલી મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે પાકિસ્તાનના મુલ્તાનમાં રમાશે, જ્યારે ભારતીય ટીમ તેની પહેલી મેચ 2 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન સામે શ્રીલંકના કેન્ડી ખાતે રમશે. જ્યારે 17 સપ્ટેમ્બરના રોજ ફાઈનલ મુકાબલો શ્રીલંકાના કોલંબો ખાતે રમાશે. 


કુલ 6 ટીમ ભાગ લેશે 


એશિયા કપ 2023માં એશિયા ખંડની કુલ 6 ટીમ ભાગ લેશે, જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળ. એમ કુલ 6 ટીમો ભાગ લેશે. તમામ ટીમ ગ્રુપ સ્ટેજમાં એકબીજા સાથે ટકરાશે અને ટોચની 4 ટીમ ગ્રુપ સ્ટેજ પછી સુપર-4 સ્ટેજમાં ક્વોલિફાય થશે. 

ભારત તેની બીજી મેચ 4 સપ્ટેમ્બરના રોજ નેપાળ સામે શ્રીલંકાના કેન્ડિમાં જ રમશે, સુપર 4 ગ્રુપ A અને ગ્રુપ Bની ટોપ 2 ટીમ એકબીજા સાથે ટકરાશે. 6 સપ્ટેમ્બરથી શરુ થતો સુપર 4નો રાઉન્ડ કંઈક આ મુજબ રહેશે : A1vsB2, B1vsB2, A1vsA2, A2vsB1, A1vsB1 અને A2vsB2 અને ત્યારબાદ સુપર 4ની ટોપ 2 આગામી 17 સપ્ટેમ્બરના રોજ ટીમ ફાઈનલમાં એકબીજા સામે ટકરાશે, અને ફાઈનલ શ્રીલંકાના કોલંબો ખાતે રમાશે. 

3 વખત ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન 

એશિયા કપના ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન બંને ટીમ સુપર-4 સ્ટેજમાં ક્વોલિફાય થાય છે તો 10 સપ્ટેમ્બરે કેન્ડીમાં બંને વચ્ચે સુપર-4 સ્ટેજની મેચ રમાશે. બીજી તરફ, જો બંને ટીમ સુપર-4 સ્ટેજમાં ટોચ પર રહેશે તો 17મી સપ્ટેમ્બરે ફાઇનલ મેચ પણ રમાઈ શકે છે. આ રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજ, સુપર-4 અને ફાઈનલ સહિત 3 મેચ રમાઈ શકે છે.


આ વખતનો એશિયા કપ ODI ફોર્મેટમાં રમાશે

આમ તો છેલ્લાં ઘણાં સમયથી એશિયા કપ T20 ફોર્મેટમાં રમાતો હતો, પંરતુ એશિયા કપ બાદ ODI વર્લ્ડ કપ આવવાનો છે માટે એને ધ્યાનમાં રાખીને આ વખતનો એશિયા કપ ODI ફોર્મેટ એટલે કે 50-50 ઓવરના ફોર્મેટમાં રમાશે.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.