ASIની ટીમ સર્વે માટે પહોંચી GyanVapi, હિંદુ તેમજ મુસ્લીમ ધર્મ બાદ આ મામલે ઝંપલાવ્યું બૌદ્ધ ધર્મએ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-04 11:14:41

જ્ઞાનવાપી મસ્જિદનો કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. આ મામલાની સુનાવણી દેશની સર્વોચ્ચ ન્યાયાલયમાં ચાલી રહી છે. એ વિવાદ ચાલી રહ્યો છે કે જ્ઞાનવાપી મસ્જિદ છે કે મંદિર. અલ્હાબાદ હાઈકોર્ટની મંજૂરી મળ્યા બાદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની ટીમ જ્ઞાનવાપી સંકુલ પહોંચી ગઈ છે. 61 સભ્યોની ટીમ ત્યાં સર્વે કરશે. સર્વે કરવા માટે અનેક કેમેરા, વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં જ્યારે આ કેસની સુનાવણી ચાલી રહી હતી તે સમયે એક નવો વળાંક આવ્યો. 

જ્ઞાનવાપી તો બૌદ્ધ મઠ છે!

જ્યારે આ મામલે સુનાવણીઓ સુપ્રીમ કોર્ટમાં ચાલતી હતી અને તપાસ વગેરે થઈ રહી હતી ત્યારે આ કેસમાં સૌથી રસપ્રદ બનાવ સામે આવ્યો છે. હિંદુ મુસ્લીમ ધર્મના લોકો કહી રહ્યા હતા કે જ્ઞાનવાપી મારું છે મારું છે તેની વચ્ચે ચર્ચામાં બૌદ્ધ ધર્મના ગુરુ આવ્યા છે જેણે દાવો કર્યો છે કે જ્ઞાનવાપી તો મંદિર પણ નથી અને મસ્જિદ પણ નથી જ્ઞાનવાપી તો બૌદ્ધ મઠ છે. 


બૌદ્ધ ધર્મના ધર્મ ગુરુ સુમિત રતન ભંતેએ કોર્ટમાં કરી આ મામલે અરજી  

જ્ઞાનવાપી મામલે બે ધર્મ પોતાનો દાવો કરી રહ્યા હતા આ જગ્યા અમારી છે આ જગ્યા અમારી છે તેની વચ્ચે હવે ત્રીજો ધર્મ પણ આવ્યો છે જેનું કહેવું છે કે જ્ઞાનવાપી તો મંદિર પણ નથી અને મસ્જિદ પણ નથી. જ્ઞાનવાપી તો બૌદ્ધ મઠ છે. જો કે સામાન્ય નિવેદનથી કંઈ ન થાય એવામાં તો કોઈ નિવેદન આપીને નિકળી પણ જાય અને જો વિવાદ વધે તો માફી પણ માગી લે. પણ આ કેસમાં તો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. બૌદ્ધ ધર્મના ધર્મ ગુરુ સુમિત રતન ભંતેએ સર્વૌચ્ચ અદાલતમાં દાવો કરીને અરજી કરી છે કે જ્ઞાનવાપી બૌદ્ધ મઠ છે. આવો દાવો ભંતેજીએ એટલા માટે કર્યો છે કારણ કે જ્ઞાનવાપીમાં ત્રિશૂળ અને સ્વસ્તિકનું નિશાન જોવા મળ્યું છે અને બૌદ્ધ ધર્મના ભંતેજીના જણાવ્યા મુજબ આ બધા ચિહ્નો બૌદ્ધ ધર્મના છે. 

મઠોને તોડીને તેના પર મંદિર અથવા મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું! 

સુમિત રતન ભંતેના જણાવ્યા મુજબ કેદારનાથ અથવા જ્ઞાનવાપી મસ્જિદમાં જે જ્યોતિર્લિંગ છે તે ખરેખર બૌદ્ધના સ્તૂપ છે. માટે જ્ઞાનવાપી ન તો મંદિર છે અને ન તો મસ્જિદ છે. જ્ઞાનવાપી તો બૌદ્ધ મઠ છે. જૈન અને બૌદ્ધ મઠોને તોડીને તેના પર મંદિર અથવા મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિર મસ્જિદ અને બૌદ્ધ મઠ પોતાના મૂળ સ્વરૂપમાં લાવવા જરૂરી છે. ભંતેજીના જણાવ્યા મુજબ અત્યારે તો તેમણે માત્ર જ્ઞાનવાપી મામલે જ અરજી કરી છે. ભવિષ્યમાં તે કેદારનાથ, બદરીનાથ સહિત બીજા મંદિરો અને મસ્જિદોનું મૂળ સ્વરૂપ શું છે તે જાણવા અરજી દાખલ કરશે. તેમના જણાવ્યા મુજબ સનાતન અને બૌદ્ધ ધર્મ સૌથી જૂના ધર્મો છે. ત્યાર પછી ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ આવ્યા છે. ભારતના પુરાતત્વીય સર્વેક્ષણ વિભાગ જો સરખી રીતે સર્વે કરશે તો ત્યાં બૌદ્ધ મઠ જ જોવા મળશે તેવું ભંતેનું માનવું છે. 


બૌદ્ધ ધર્મને લઈ તેમણે કહી આ વાત!

ભંતેજીનું કહેવું છે કે હિંદુ ધર્મ 1200 વર્ષ પહેલા આવ્યો છે અને ઈસ્લામ ધર્મ 1500 વર્ષ પહેલા આવ્યો છે. પણ બૌદ્ધ ધર્મ અઢી હજાર વર્ષ પહેલા આવી ગયો હતો. બૌદ્ધ મઠોનો પણ સર્વેક્ષણ કરીને બૌદ્ધને પણ તેમના મઠો પાછા આપવા જોઈએ. જો યોગ્ય રીતે નિર્ણય લેવામાં આવશે તો ત્યાં બૌદ્ધ મઠ જ નીકળશે તેવું ભંતેનું કહેવું છે. 


તપાસ દરમિયાન અનેક હકિકતો આવી શકે છે સામે 

આપણે જાણીએ છીએ કે જ્ઞાનવાપી વિવાદની શરૂઆત 1991માં થઈ હતી પણ પછી તે મુદ્દો એકદમ શાંત પડી ગયો હતો. પણ લોકોની ધાર્મિક ભાવના અચાનક જાગતા ફરી જ્ઞાનવાપીનો વિવાદ સામે આવે છે અને પાંચ મહિલાઓ જ્ઞાનવાપી મસ્જિદમાં પૂજા અર્ચના કરવા માટે પરવાનગી માગવા અરજી કરે છે અને પછી ન્યાયાલમાં આ મુદ્દો ચાલે છે જે હજુ પણ ચાલી જ રહ્યો છે. આ મામલે હવે તપાસ કરવામાં આવશે ત્યારે જ હકિકતની બાબતો સામે આવશે. પણ ત્યાં મંદિર હોય, મસ્જિદ હોય કે બૌદ્ધ મઠ હોય. આપણો ભારતીય તરીકે એક જ મંત્ર હોવો જોઈએ કે આપણે હળીમળીને રહેવાનું છે અને ભારતના બંધુતાના મૂળ તત્વને આગળ વધારવાનું છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!