કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેના કાફલા પર બિહારમાં ખેડૂતોએ કર્યો પથ્થરમારો


  • Published By :
  • Published Date : 2023-01-12 20:21:20

કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ ગુરુવારે બિહારના બક્સરમાં વિરોધનો સામનો કરવો પડ્યો. રોષે ભરાયેલા ખેડૂતોએ મંત્રીના કાફલા પર પથ્થરમારો કર્યો હતો. વાસ્તવમાં અશ્વિની ચૌબે બક્સરથી સાંસદ છે. આજે અશ્વિની ચૌબે 86 દિવસથી વધુ સમયથી ધરણા પર બેઠેલા ખેડૂતોની સમસ્યાઓ સાંભળવા બક્સરના બનારપુર પહોંચ્યા હતા. પરંતુ તેમને ખેડૂતોની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ તેમના કાફલા પર પથ્થરમારો કર્યો હતો. અશ્વિની ચૌબે જીવ બચાવવા કારમાં બેસીને ભાગી ગયા હતા. 


ખેડૂતો શા માટે ગુસ્સે થયા?


બક્સરના બનારપુરમાં 86 દિવસથી વધુ સમયથી ખેડૂતો જમીનના વળતરની માંગ સાથે ધરણા પર બેઠા છે. બે દિવસ પહેલા જ પોલીસે તેમના પર નિર્દયતાથી લાઠીચાર્જ કર્યો હતો. આ પછી ખેડૂતોએ પોલીસ સામે મોરચો ખોલ્યો. રોષે ભરાયેલા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો અને પોલીસ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર ઘર્ષણની સ્થિતી સર્જાઈ હતી. 


86 દિવસથી તમે ક્યાં હતા


કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે ખેડૂતો સમક્ષ ભાષણ આપી રહ્યા હતા તે જ સમયે ખેડૂતોએ આંટલા દિવસો તમે ક્યા હતા? તેવો સવાલ કરતા મંત્રીજી પાસે તેનો કોઈ જવાબ ન હતો આથી ખેડૂતોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો  હતો અને તેમણે અશ્વિની ચૌબે સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ દરમિયાન રોષે ભરાયેલા લોકોએ પથ્થરમારો કર્યો હતો. એટલું જ નહીં પરંતુ તેમના વિરોધમાં નારેબાજી પણ કરી. અશ્વિની ચૌબે મુર્દાબાદનાં નારાઓ પણ સાંભળવા મળ્યાં હતાં. આવા સમયે સુરક્ષાકર્મીઓએ અશ્વિની ચૌબેને ટોળામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતાં.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.