અશોક ગેહલોતે કોંગ્રેસ હાઈ કમાન્ડનું નાક દબાવવાનું શરૂ કર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 22:04:46

અશોક ગેહલોતના સમર્થનના 82 જેટલા ધારાસભ્યો અનિશ્ચિત મુદત માટે વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. એટલે કે આ ધારાસભ્યો ગમે ત્યારે પોતાનું રાજીનામું પાછું ખેંચી શકે છે. 


સચિન પાયલટને CM ન બનવા દેવા માટે પ્રેશર ટેક્નિક 

રાજસ્થાનમાં રાજનીતિના ખળભળાટ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે CM ગેહલોતે અધ્યક્ષ બનતા પહેલા જ ગાંધી પરિવારને પડકાર ફેંક્યો છે. 82 જેટલા ધારાસભ્યોને ભેગા કરીને રાજીનામાનો ખેલ શરૂ. કરી દેવાયો છે. તેનો હેતુ માત્ર એક સચિન પાયલટને મુખ્યમંત્રી ન બનવા દેવાનો છે.


કોંગ્રેસ હાઈકમાન્ડનું નાક દબાવી રહ્યા છે અશોક ગેહલોત

સ્થાનિક સૂત્રોના મારફતેથી જાણવા મળી રહ્યું છે કે અશોક ગેહલોત દિલ્લીમાં બેઠેલી કોંગ્રેસ હાઈકમાન્ડનું નાક દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અશોક ગેહલોતને ગાદી છોડ્યા બાદ પોતાના વ્યક્તિને રાજસ્થાનના મુખ્યમંત્રી પદે બિરાજવાનો પ્રયાસ છે. જો સચીન પાયલટ રાજસ્થાનના મુખ્યમંત્રી બની જાય તો અશોક ગેહલોતનો રાજસ્થાન પરથી કંટ્રોલ હટી જશે. પોતાનું બનાવેલું ઘર અશોક ગેહલોત પોતાના જ હાથે તોડવા નથી માગતા આથી તેઓ પ્રેશર ટેક્નિકનો ઉપયોગ કરી રહ્યા છે. 


સમાચાર અપડેટ થઈ રહ્યા છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે