રાજસ્થાનમાં અશોક ગેહલોતની મુશ્કેલી વધી, હવે મુખ્યમંત્રીની ખુરશી પણ જશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 16:00:12

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની મુશ્કેલીઓ દિનપ્રતિદિન વધી રહી છે. પાર્ટી હાઈકમાનનો વિશ્વાસ ગુમાવી ચુકેલા અશોક ગેહલોત પહેલા કોંગ્રેસ પ્રમુખ પદની રેસમાંથી ફેંકાઈ ગયા. હવે તેમના મુખ્યમંત્રી પદ પર પણ તલવાર લટકી રહી છે. આ દરમિયાન દિલ્હી પહોંચેલા સીએમ અશોક ગેહલોતે કહ્યું છે કે તેઓ કોંગ્રેસ હાઈકમાનનો દરેક નિર્ણય માનશે, તેમના માટે પદ મહત્વ નથી ધરાવતું. 


અશોક ગેહલોતના સીએમ પદ અંગે સોનિયા ગાંધી નિર્ણય કરશે


કોંગ્રેસ અધ્યક્ષ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત બાદ ગેહલોતે શુક્રવારે (30 સપ્ટેમ્બર)એ કહ્યું કે રાજસ્થાનમાં જે થયું એ મારા વ્યવહાર વિરૂદ્ધ હતું. ગેહલોતે ગુરૂવારે (29 સપ્ટેમ્બર)એ સોનિયા ગાંધીના આવાસ 10 જનપથ પર તેમની સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ ગેહલોતે કહ્યું હતું કે તેઓ હવે અધ્યક્ષ પદની ચૂંટણી નહીં લડે. સાથે જ તેમણે કહ્યું કે તેમના મુખ્યમંત્રી પદ પર બની રહેવા વિશે નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કરશે. આ મહત્વની મુલાકાતો બાદ કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે પણ કહ્યું કે રાજસ્થાનના મુખ્યમંત્રીને લઈને સોનિયા ગાંધી આવતા એક-બે દિવસમાં નિર્ણય કરશે. ત્યાર બાદથી મુખ્યમંત્રી પદને લઈને સસ્પેન્સ વધી ગયું છે.


પાયલટે પણ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી


ગેહલોતની સોનિયા ગાંધી સાથે મુલાકાતના થોડીકવાર બાદ રાજસ્થાનના પૂર્વ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટ પણ 10 જનપથ પહોંચ્યા. સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ પાયલટે કહ્યું કે રાજસ્થાનના ઘટનાક્રમને લઈને તેમણે પોતાની ભાવનાઓથી કોંગ્રેસ અધ્યક્ષને અવગત કરાવી દીધા છે.




નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.