ગુજરાતમાં કોંગ્રેસના પ્રચારક બન્યા અશોક ગેહલોત, સત્તાપક્ષ પર કર્યા આકરા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-10-29 13:22:37

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટી અને ભાજપ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ બંને પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય  નેતાઓ ગુજરાતના પ્રવાસે નથી આવી રહ્યા. કોંગ્રેસનો પ્રચાર કરવા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી રહ્યા છે. હાલ ગેહલોત ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેમણે ભાજપ પર પ્રહાર કર્યો છે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે જાણી જોઈને ચૂંટણીની તારીખ જાહેર કરવામાં નથી આવી. 

ભાજપનો એજન્ડા છે ચૂંટણી પંચને પ્રભાવિત કરો - ગેહલોત 

ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવા રાજસ્થાનના મુખ્યમંત્રી ગુજરાતની મુલાકાતે છે. પોતાના 2 દિવસના પ્રવાસ દરમિયાન તેમણે કોંગ્રેસનો પ્રચાર તો કર્યો સાથે સાથે આમ આદમી પાર્ટી અને ભાજપ પર પ્રહાર પણ કર્યા. સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી તેમણે ભાજપ પર નિશાન સાધ્યા હતા. તેમણે કહ્યું કે વડાપ્રધાન અને અમિત શાહના કાર્યક્રમ પૂરા નહીં થાય ત્યાં સુધી ચૂંટણીની તારીખ જાહેર કરવામાં નહીં આવે.ભાજપ ચૂંટણીપંચ પર પ્રભાવ નાખે છે. ગુજરાત બદલાવ માગે છે.

 

ગેહલોતે આપને પણ લીધી આડેહાથ 

આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કેજરીવાલ પેકેજ આપે છે. પહેલું પેકેજ કેજરીવાલના સમાચાર ચલાવો. બીજુ પેકેજ કેજરીવાલના સમાચાર ચલાવો. કોંગ્રેસના વખાણ કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસે ચૂંટણીમાં લોકતંત્રને જીવંત રાખ્યું છે. અનંત પટેલ પર થયેલા હુમલા પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે લોકતંત્ર માટે ખતરાની ઘંટી છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલનો દાખલો સામે છે. દેશમાં તણાવનો માહોલ છે. રાહુલ ગાંધીએ જે ગેરેન્ટી આપી છે તે તમામ વચનો અમે લોકોને આપીશુ.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.