અશોક ચવ્હાણ, કમલનાથ અને હવે મનીષ તિવારીનો પણ મોહ ભંગ, BJPના સંપર્કમાં હોવાની ચર્ચા


  • Published By :
  • Published Date : 2024-02-18 16:06:18

એક તરફ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે તો બીજી તરફ પાર્ટીના અગ્રણી નેતાઓનો મોહભંગ થઈ રહ્યો છે. પૂર્વ સાંસદ CM કમલનાથના ભાજપમાં જોડાવા અંગેની અટકળો વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારી પણ કોંગ્રેસ છોડી દે તેવી ચર્ચાએ જોર પકડ્યું  છે. સૂત્રોના હવાલાથી મળેલા સમાચાર મુજબ મનીષ તિવારી સતત ભાજપના સંપર્કમાં છે. જો અટકળો સાચી પડશે તો કોંગ્રેસને અશોક ચવ્હાણ બાદ ફરી મોટો ફટકો પડી શકે છે. કમલનાથ વિશે વાત કરીએ તો એવા સમાચાર છે કે તેઓ અને તેમના પુત્ર નકુલનાથ ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાશે. શનિવારે પિતા-પુત્ર પણ દિલ્હી આવ્યા હતા પરંતુ હજુ સુધી કંઈ સ્પષ્ટ થયું નથી.


કોંગ્રેસને લાગશે ત્રીજો ઝટકો?

 

કોંગ્રેસ માટે 2024ની લોકસભા ચૂંટણી પહેલા આવા સમાચાર કોઈ મોટા આંચકાથી ઓછા નહીં હોય. થોડા દિવસ પહેલા જ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા હતા. જ્યારે હવે કમલનાથ અને તેમના પુત્ર નકુલ નાથના બીજેપીમાં જોડાવાના સમાચાર આવ્યા છે. આ અટકળો વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારી પણ કોંગ્રેસથી નારાજ છે. 


મનીષ સતત ભાજપના સંપર્ક


દિલ્હીના રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચાને સાચી માનીએ તો પંજાબના આનંદપુર સાહિબના સાંસદ મનીષ સતત ભાજપના સંપર્કમાં છે. જોકે તેમની નજીકના કોઈએ તેને હાસ્યાસ્પદ ગણાવ્યું છે. જો અટકળો સાચી સાબિત થશે તો ચૂંટણી પહેલા કોંગ્રેસને ત્રણ આંચકાઓનો સામનો કરવો પડી શકે છે. મનીષ તિવારી 2012 થી 2014 સુધી યુપીએ સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રી હતા. તેમણે કોંગ્રેસના પ્રવક્તા તરીકે પણ પાર્ટીમાં યોગદાન આપ્યું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે