બાંગ્લાદેશી છોકરીના પ્રેમમાં પડેલા આશીષે કર્યું ધર્મ પરિવર્તન! નામ બદલી કર્યું મોહમ્મદ શેખ, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-07-09 19:22:34

ગુજરાત અને દેશમાં ધર્મ પરિવર્તનના અનેક કિસ્સા સામે આવતા હોય છે પણ આ કિસ્સો આખા દેશમાં સૌથી અલગ હશે એવું મને લાગી રહ્યું છે, આ કિસ્સો કેવી રીતે અલગ છે. આ કિસ્સાથી સમજવું છે કે શું સોશિયલ મીડિયાથી પોલીસને કે વહીવટી તંત્રને ખબર ન પડે તેમ ધર્મ પરિવર્તનના કામ ચાલી રહ્યા છે, વિગતવાર વાત કરીએ તો એક મજૂર પરિવારમાં જન્મેલો હોંશિયાર છોકરો આશિષ ગોસ્વામી પરિવારને ખબર ન પડે તેમ કેવી રીતે બની ગયો શેખ મહમ્મદ અલ સમી.  


મોબાઈલે બદલ્યું આશીષનું જીવન!

રાજકોટમાં જેતપુર શહેર છે, જ્યાં જનતા નગર-2 સોસાયટીમાં વર્ષ 2004માં મજૂરી કરીને પેટીયું રળતા વ્યક્તિને ત્યાં આશીષ ગૌસ્વામી નામના વ્યક્તિનો જન્મ થયો. આશીષ પહેલેથી જ ભણવામાં હોંશિયાર હતો પણ બે બહેનોના એક માત્ર ભાઈની પરિસ્થિતિ રૂપિયે ટકે એટલી બધી સારી ન હતી. પણ આશીષને ભણવાની લગન હતી અને તે ભણવામાં સારો પણ હતો. અચાનક ભણવાનું કહીને તેણે મોબાઈલ મગાવ્યો અને અહીંથી તેના જીવનમાં બદલાવો આવવાના શરૂ થઈ ગયા. 


બાંગ્લાદેશી છોકરીએ આપી લગ્ન કરવાની લાલચ!

વાત એમ હતી કે ઈન્સ્ટાગ્રામ મારફતે તે બાંગ્લાદેશની એક છોકરીના કોન્ટેક્ટમાં આવ્યો, આ છોકરી સાથે આશીષને લગ્ન કરવા હતા, તેના માટે કંઈ પણ કરવા આશીષ તૈયાર હતો. છોકરીએ લગભગ લાલચ આપી હોય શકે કે મારી સાથે લગ્ન કરવા હોય તો તારે ઈસ્લામ ધર્મ અંગિકાર કરવો પડશે. બસ આ પછીથી આશીષમાં બદલાવો શરૂ થયા. તે મસ્જિદ જવા લાગ્યો, નમાઝ પઢવા લાગ્યો, ઉર્દુ શીખવા લાગ્યો, કાપેલી મૂછ અને દાઢી રાખવા લાગ્યો, ટોપી પહેરવા લાગ્યો અને સૌથી મોટી વાત ઝાકીર નાઈકને સાંભળવા લાગ્યો. 


એકાએક આશીષના વર્તનમાં આવ્યા લાગ્યા પરિવર્તન

આ વસ્તુઓના કારણે આશીષમાં અનેક બદલાવો આવવા લાગ્યા, આમ તો આશીષ ઘરમાં આવું કંઈ કરતો ન હતો ટોપી વગેરે કાઢી નાખતો હતો, નમાજ ઘરમાં નહોતો પઢતો, ધાર્મિક પુસ્તકો નહોતો લાવતો પણ અચાનક આવું બધું પણ તે કરવા લાગ્યો. મજૂર બાપનો એકનો એક દીકરો એટલે હરેશભાઈ ગોસ્વામીએ તેને સમજાવ્યો, માર્યો પણ છતાંય તેના મગજમાં એક જ વાત ચાલતી હતી કે મારે ઈસ્લામને જાણવો છે, મહમ્મદ પૈગંબર સાહેબના સંદેશને સમજવો છે. અંતે તેના પિતા પણ કંટાળ્યા. આશીષના પપ્પાએ તેને એકવાર નમાજ પઢતા પણ જોઈ લીધો હતો પણ તે એકનો એક દીકરો હોવાના કારણે કંઈ કહી શક્યા નહોતા જો કે ઠપકો જરૂર આપ્યો હતો. 


ધીમે ધીમે ઈસ્લામના ઈતિહાસમાં પડ્યો રસ

એકવાર તો એવું થયું કે આશીષને ખતના વિશે ખબર પડી. રિસર્ચ કરતા ખબર પડી કે શા માટે ખતના કરવામાં આવે છે અને તેને આ વિષયમાં અને ઈસ્લામના ઇતિહાસમાં રસ પડી ગયો તો તેણે ખતના કરાવવાનું નક્કી કરી લીધું. ખતના કરાવવા તે જેતપુરની સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયો, જ્યાં ડોક્ટરે તેને કહ્યું કે આવું અમે કરતા નથી પણ ધાર્મિક કારણોસર તને કરાવી દઈ શકું. બસ ત્યાર પછી ડોક્ટરે પોલીસ અને હિન્દુ સંગઠનોનો સંપર્ક કર્યો અને ચર્ચામાં આવ્યો આશીષ ગૌસ્વામી અથવા શેખ મહમ્મદ અલ સમી. 


આશીષ કરશે માતા પિતાની સેવા 

બધી ઘટનાની જાણ રાજકોટના વિશ્વ હિન્દુ પરિષદને થતાં તેણે આશીષને હિન્દુ ધર્મમાં પાછો લાવવાના પ્રયત્નો શરૂ કર્યા. જો કે આ કેસની અલગ વિગત એ હતી કે આશીષને કોઈ પણ પ્રલોભન નહોતું આપવામાં આવ્યું ઈસ્લામ ધર્મમાં જવા માટે. આ બધુ પત્યા પછી હિન્દુ સંગઠનોએ કનૈયાનંદ મહારાજની હાજરીમાં આશીષને સમજાવ્યો અને આશીષ સમજી ગયો. હાલ આશીષનું કહેવું છે કે મારે ક્યાંય નથી જવું મારે મા બાપની સેવા કરવી છે. હિન્દુ ધર્મ અને ઈસ્લામમાં પણ મા બાપની સેવાને મહત્વ આપવામાં આવ્યું  છે તો હું હવે મારા મમ્મી પપ્પાની સેવા જ કરીશ. ટૂંકમાં એક હોંશિયાર છોકરાની જીવન શૈલી અચાનક બદલાવા લાગે છે. જેનું કારણ છોકરાના પિતાનું માનવું છે કે બાંગ્લાદેશની છોકરી હોઈ શકે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!