એશિઝ મેચ દરમિયાન લોર્ડસના મેદાન પર દોડી આવ્યા પ્રદર્શનકારો, જોરદાર થયો હંગામો


  • Published By :
  • Published Date : 2023-06-28 17:32:50

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી એશિઝ સિરીઝ (The Ashes)ના બીજા મુકાબલાની શરૂઆત થઈ ગઈ છે. આ ક્રિકેટ મેચ લોર્ડસના મેદાન પર રમાઈ રહી છે. ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પહેલા બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. જો કે મેચ શરૂ થઈ તે દરમિયાન જ લોર્ડસના મેદાન પર જબરદસ્ત ડ્રામા શરૂ થઈ ગયો હતો. મેચ દરમિયાન જ જસ્ટ સ્ટોપ ઓઈલ ગ્રૂપના અનેક પ્રદર્શનકારો મેદાન પર દોડી આવ્યા હતા.


બેયરસ્ટોએ પ્રદર્શનકારીને ઉઠાવ્યો


ક્રિકેટના મેદાન પર દોડી આવેલા પ્રદર્શનકારોએ પૈકીના એકને ઈંગ્લેન્ડના વિકેટકીપર જોની બેયરસ્ટોએ પ્રદર્શનકારીને ઉઠાવી લીધો હતો, તે તેને લઈને સીધા જ મેદાનની બહાર ચાલ્યા ગયા હતા. આ પ્રદર્શનકારોએ બેયરસ્ટો પર ઓરેન્જ કલરનો પાઉડર પણ ફેંક્યો હતો. આ દરમિયાન પીચ પર દોડતા પ્રદર્શનકારીઓને ડેવિડ વોર્નર અને ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે પણ રોકવાનો પ્રયાસ કર્યો હતો.  



શા માટે મેદાન પર દોડ્યા પ્રદર્શનકારો?


જસ્ટ સ્ટોપ ઓયલ ગ્રુપ ઈંગ્લેન્ડના પર્યાવરણ કાર્યકર્તાઓનું એક જુથ છે. તેનું લક્ષ્ય બ્રિટનની સરકારને નવા ઓઈલ લાયસન્સ જારી કરવાથી રોકવાનું છે. આ ગ્રુપની સ્થાપના ફેબ્રુઆરી 2022માં થઈ હતી, અને આ ગ્રુપ દ્વારા એપ્રીલ 2022માં બ્રિટિશ ઓઈલ ટર્મિનલો પર વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા હતા. આ ગ્રૂપ ઈંગ્લેન્ડમાં તેના વિરોધ પ્રદર્શન કરવાની સ્ટાઈલના કારણો અવારનવાર ચર્ચામાં રહે છે, લોકો તેના આવી વિરોધ શૈલીની ટીકા પણ કરે છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે