આસારામની તબિયત ગંભીર, સારવાર માટે જોધપુર AIIMSમાં દાખલ, પુત્ર નારાયણ સાંઈએ કરી જામીન અરજી


  • Published By :
  • Published Date : 2024-01-26 21:08:26

આસારામ બળાત્કારના કેસમાં છેલ્લા 11 વર્ષથી રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે. ત્યારે તેમની તેમની નાદુરસ્ત તબિયતને લઈને મોટી અપડેટ સામે આવી છે. 80 વર્ષીય આસારામની તબિયત હાલ ગંભીર છે. મહિલાઓના યૌન શોષણના આરોપમાં રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ આસારામની તબિયત લથડતાં હાલ જોધપુર AIIMSમાં સારવાર હેઠળ છે. 


નારાયણ સાંઈની જામીન માટે હાઈકોર્ટમાં અરજી


આ દરમિયાન સુરત જેલમાં બંધ તેમના પુત્ર નારાયણ સાંઈએ જામીન માટે અરજી કરી છે. નારાયણ સાંઈ આસારામના એકમાત્ર પુત્ર હોવાના આધારે 20 દિવસના વચગાળાના જામીન માગ્યા છે. નારાયણ સાંઈએ બીમાર પિતા આસારામની સેવા માટે વચગાળાની જામીન માટે  ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે.નારાયણ સાંઈની અરજી પર 29 જાન્યુઆરીએ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.  


આસારામને બે કેસમાં આજીવન કેદની સજા 


આસારામને જોધપુર પોલીસે 2013માં એક સગીર સાથે બળાત્કારના કેસમાં ઈન્દોરથી ધરપકડ કરી હતી. ત્યારથી આસારામ જેલના સળિયા પાછળ છે. 5 વર્ષના લાંબા ટ્રાયલ બાદ 25 એપ્રિલ 2018ના રોજ કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી. આસારામ વિરુદ્ધ ગુજરાતના ગાંધીનગરમાં પણ મહિલા પર બળાત્કારનો કેસ નોંધાયેલો છે. તે કેસમાં પણ આસારામને 31 જાન્યુઆરી 2023ના રોજ આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. આસારામ એક સાથે બે આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.