આસારામના પરિવારજનો સહિત 6 આરોપીઓને નિર્દોષ છોડવાના ગાંધીનગર કોર્ટના ચુકાદાને રાજ્ય સરકાર હાઈકોર્ટમાં પડકારશે


  • Published By :
  • Published Date : 2023-06-01 23:03:59

રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારે આસારામના પરિવારજનો સામે મોટો નિર્ણય લીધો છે, ગુજરાત સરકારનાં કાયદા વિભાગે આસારામ વિરૂદ્ધ દુષ્કર્મ કેસમાં મહત્વનો નિર્ણય લીધો છે. વર્ષ 2013ના સુરતની બે યુવતી પર દુષ્કર્મના કેસમાં ટ્રાયલ કોર્ટે નિર્દોશ છોડેલા 6 આરોપીઓ સામે સરકાર હાઈકોર્ટમાં અપીલ કરશે. 6 આરોપીઓને ટ્રાયલ કોર્ટે નિર્દોષ છોડ્યા હતા. આસારામને ગુજરાત તેમજ રાજસ્થાનનો કેસ અલગ અલગ હોઈ સજા એક સાથે કાપવાનો નિર્ણય લેવાની ટ્રાયલ કોર્ટને સત્તા નથી. જે બાબતે કાયદાકીય અભિપ્રાય અપાયો છે.


ગાંધીનગર કોર્ટે સંભળાવી હતી સજા


અત્રે ઉલ્લેખનીય છે કે, 31 જાન્યુઆરીએ ગાંધીનગરની એક કોર્ટે આસારામને તેની પૂર્વ મહિલા શિષ્યા દ્વારા 2013માં નોંધાયેલા બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે આસારામની પત્ની લક્ષ્મીબેન, પુત્રી ભારતી અને તેના ચાર શિષ્યોને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા, આ લોકો પર ગુનામાં મદદ કરવાનો આરોપ હતો. આ સમગ્ર કેસમાં 68 સાક્ષીઓને તપાસ્યા બાદ ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. આસારામ સિવાય તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.


આસારામ હાલ જોધપુર જેલમાં બંધ છે


રાજસ્થાનમાં વર્ષ 2013માં આશ્રમમાં સગીર બાળકી પર બળાત્કાર કરવાના અન્ય એક કેસમાં આસારામ હાલમાં રાજસ્થાનની જોધપુર જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યા છે. આસારામને અમદાવાદ નજીક મોટેરા સ્થિત તેમના આશ્રમમાં 2001 થી 2007 દરમિયાન સુરત સ્થિત શિષ્યા પર વારંવાર બળાત્કાર કરવા બદલ ગાંધીનગર કોર્ટે દોષિત ઠેરવ્યા હતા.



બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..

આજે ચૂંટણી પંચ દ્વારા વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.. 13 નવેમ્બરે વાવ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે જેનું પરિણામ 23 નવેમ્બરે આવવાનું છે..